Monday, April 15, 2024
Google search engine
HomeGujaratઅમિત શાહ ગૃહમંત્રી બની ગયા છે, હાર્દિકને ભક્તોએ મેસેજ કરીને કહ્યું કે,...

અમિત શાહ ગૃહમંત્રી બની ગયા છે, હાર્દિકને ભક્તોએ મેસેજ કરીને કહ્યું કે, હવે તારું શું થશે?

અમદાવાદઃ કોંગ્રેસ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે ભાજપ પ્રમુખ અમિત શાહને કેન્દ્રિય ગૃહ મંત્રી બનવા પર શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ હાર્દિક પટેલે એ પણ સવાલ પૂછ્યો હતો કે, તેના જેવા લોકોનું શું થશે, જે બીજેપીની વિરૂદ્ધ લડ્યા છે. નોંધનીય છે કે, ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતનાર અમિત શાહનો ગુરૂવારે નરેન્દ્ર મોદીની બીજીવારની સરકારમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ચાર વર્ષ પહેલાં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચલાવનાર હાર્દિક પટેલે ટ્વીટમાં કહ્યું હતું કે, અમિત શાહજી ગૃહમંત્રી બની ગયા છે. આ કારણે હું તેને શુભેચ્છા પાઠવું છું. જોકે, આજે કેટલાંક ભક્તોના મને મેસેજ આવ્યા હતા કે હવે તારું શું થશે હાર્દિક? તેનો મતલબ એ કે, અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ ભક્તો ખૂબ જ ખુશ છે. બીજેપી સામે લડનાર અમારા જેવા યુવાનોને શું મારી નાખવામાં આવશે? ચાલો જેવી ભગવાનની ઈચ્છા’.

લોકસભા ચૂંટણી દરમિયાન પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. દેશભરમાં તેણે કોંગ્રેસ માટે ખૂબ પ્રચાર કર્યો હતો. ઓબીસી શ્રેણીમાં પાટીદાર સમુદાયનો સમાવેશ કરવા માટે આંદોલન દરમિયાન હાર્દિક પટેલે અમિત શાહ પર નિશાન સાધતા આરોપ લગાવ્યો હતો કે તેમના ઈશારે જ ગુજરાતમાં પ્રદર્શન કારીઓ પર કઠોર પગલા લેવામાં આવ્યાં છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page