Tuesday, April 16, 2024
Google search engine
HomeGujaratભરૂચમાં 92 વર્ષના પતિ અને 85 વર્ષના પત્નીના એક જ દિવસે કરાયા...

ભરૂચમાં 92 વર્ષના પતિ અને 85 વર્ષના પત્નીના એક જ દિવસે કરાયા અગ્નિ સંસ્કાર, જુઓ તસવીરો

One Gujara, Mehsana: હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાની ધાતક બીજી લહેર ચાલી રહી છે જેને કારણે ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે. કોરોનાને કારણે અનેક લોકોના જીવ જઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતના ભરૂચમાં તમને રડાવી દે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલા કોવિડ સ્મશાનમાં 92 વર્ષના પતિ અને 85 વર્ષના પત્નીના એકસાથે જ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. આ દ્રશ્ય જોઈને પરિવારની આંખોમાંથી આસું જોવા મળ્યાં હતાં જ્યારે પરિવાર ગમગીન બની ગયો હતો.

ભરૂચમાં હચમચાવી દે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક દિવસ પહેલા જ ભરૂચમાં 92 વર્ષના પતિ અને 85 વર્ષના પત્નીનું કોરોનાને કારણે મોત નિપજ્યું હતું. કોવિડ સ્મશાનમાં પતિ-પત્નીના એકસાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. આ દ્રશ્ય જોઈને સ્મશાનમાં હાજર પરિવાર સહિત અનેક લોકોની આંખોમાં આસું જોવા મળ્યાં હતાં. સ્મશાન યાત્રામાં આવેલા પરિવારના સભ્યોએ એકસાથે માતા-પિતાની છત્રછાયા ગુમાવતાં કરૂણ દ્રશ્યોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

ભરૂચમાં 9 એપ્રિલે 92 વર્ષના સનાભાઈ પ્રજાપતિને કોરોનાના લક્ષણો દેખાતા તેમને ભરૂચમાં આવેલી સિવિલ ખાતે તપાસ માટે લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં કોવિડ 19નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. જોકે પતિનો ચેપ તેમની પત્નીને પણ લાગ્યો હતો.

ત્યાર બાદ તેમના 85 વર્ષના પત્ની સવિતાબેન પણ 15 એપ્રિલે બીમાર પડ્યા હતા. જેના કારણે તેમને પણ ભરૂચમાં આવેલી સિવિલ હોસ્પિટલ ખાતે તપાસ માટે લાવવામાં આવ્યા હતાં. જ્યાં તેમનો પણ કોવિડ-19નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતાં તેમને પણ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. એક જ સાથે બન્નેની સારવાર ચાલી રહી હતી. પરિવારના સભ્યોને ક્યાં ખબર હતી કે માતા-પિતા એકસાથે અમને છોડીને જતાં રહેશે.

જોકે, પતિ-પત્ની ટૂંકી સારવાર બાદ બંને દંપતીએ રવિવારે એકસાથે દમ તોડ્યો હતો. બન્ને પતિ-પત્નીના ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે જોગાનું જોગ મોત નિપજ્યું હતું. આ સાંભળી પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું અને સભ્યો ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યા હતાં.

સૌથી મહત્વની વાત એ છે કે, પતિ-પત્નીના મૃતદેહોને ભરૂચ-અંકલેશ્વર વચ્ચે આવેલા કોવિડ સ્મશાનમાં કોવિડ પ્રોટકોલ પ્રમાણે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. પરિવારજનોની ઈચ્છાને લઈ બન્ને પતિ-પત્નીના મૃતદેહોને આજુબાજુમાં જ લાકડાં ગોઠવી અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. સ્મશાન યાત્રામાં આવેલા પરિવારજનોએ એકસાથે માતા-પિતાની વિદાયને નિહાળી હતી. જેથી સમગ્ર વાતાવરણ ગમગીન બન્યું હતું.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! #MindBlown Embark into this cosmic journey of knowledge and let your imagination soar! ? Don’t just explore, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your mind will thank you for this exciting journey through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page