Wednesday, April 17, 2024
Google search engine
HomeBollywoodપોતાનાથી 18 વર્ષ નાની અભિનેત્રી સાથે આ એક્ટરે કર્યાં હતાં લગ્ન, આજે...

પોતાનાથી 18 વર્ષ નાની અભિનેત્રી સાથે આ એક્ટરે કર્યાં હતાં લગ્ન, આજે જીવે છે આવી જિંદંગી

બૉલિવૂડ અને મરાઠી ફિલ્મોમાં પોતાની કૉમેડીથી દરેકને હસાવનારા એક્ટર અશોક સરાફ 74 વર્ષના થઈ ગયાં છે. તેમનો જન્મ 4 જૂન, 1947માં મુંબઈમાં થયો હતો. બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કરનારા અશોક હવે હિન્દી ફિલ્મોમાં જોવા મળતાં નથી. તે મરાઠી ફિલ્મોમાં અત્યારે પણ એક્ટિવ છે. તેમણે પોતાના કરિયરમાં 50થી વધુ બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. તે 250થી વધારે મરાઠી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, અશોકે ટીવીમાં પણ કામ કર્યું છે. તેમની સૌથી પોપ્યુલર સિરિયલ હમ પાંચ હતી. ઘણાં ઓછા લોકો જાણે છે કે, તેમણએ ખુદથી 18 વર્ષ નાની એક્ટ્રસ નિવેદિતા જ્યોતી સાથે લગ્ન કર્યા છે અને બંનેને એક દીકરો છે.

પતિના બર્થડે પર નિવેદિતાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી ઇમોશનલ પોસ્ટ લખી હતી. તેમણે લખ્યું કે, ‘હેપ્પી બર્થડે અશોક, મેં ગયાં જન્મમાં કંઈક સારું કર્યું હશે. એટલે તમે મને પતિના રૂપમાં મળ્યા. તમે મારી તાકાત છો, મારા ગુરુ છો, મારા સૌથી સારા ફ્રેન્ડ છો અને મારા માતા-પિતા, મારા બધું જ છો. તમે એક સારા એક્ટર અને સારા માણસ છો.’

નિવેદિતાએ વર્ષ 1990માં ગોવામાં મંગેશી મંદિરમાં અશોક સાથે લગ્ન કર્યાં હતાં. મંગેશી દેવી અશોક સરાફની કુળદેવી છે. આ કારણે લગ્નની વિધિ ત્યાં કરવામાં આવી હતી. ઘણાં ઓછા લોકો જાણે છે કે, કપલ ઉંમરમાં 18 વર્ષનો અંતર છે, પણ ઉંમરનો તેમને કોઈ વાંધો નથી.

નિવેદિતા અને અશોક સરાફ છેલ્લાં ઘણાં દશકોથી હેપ્પી મેરેજ લાઇફ જીવી રહ્યા છે. બંનેએ ઘણી મરાઠી ફિલ્મો પણ સાથે કરી છે. કપલનો એક દીકરો છે જેનું નામ અનિકેત છે અને તે પ્રોફેશનલ શેફ છે.

અશોક સરાફએ પોતાની એક્ટિંગની શરૂઆત યયાતિ આની દેવયાની નામના એક નાટકથી કરી હતી. આ પછી તેમણે ફિલ્મો અને ટીવી શોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તે અત્યારે પણ થિએટર સાથે જોડાયેલાં છે.

કદાચ ઘણાં ઓછા લોકો જાણે છે કે, અશોક તેમની જિંદગીમાં બે વાર મરતાં-મરતાં બચ્યા હતાં. જ્યારે તે 50 વર્ષના હતાં ત્યારે પહેલીવાર તેમનું એક્સિડન્ટ થયું હતું. આ એક કાર એક્સિડન્ટ હતો. આ દરમિયાન તેમના ગળા પર ઘણી ઈજા થઈ હતી અને તે ઘણાં સિરિયસ હતાં. તેમણે 6 મહિના આરામ કરવો પડ્યો હતો.

આ પછી વર્ષ 2012માં એકવાર ફરીથી તે એક્સિડન્ટનો શિકાર થયાં હતાં. પુણે એક્સપ્રેસ વે પાસે તેમનો એક્સિડન્ટ થયો ત્યારે તે પોતાની ફિલ્મ ગોલ ગોલ ડબ્યાતલાની એક પ્રેસ કોન્ફરન્સ માટે જતાં હતાં.

અશોક સરાફે ‘ઘર ઘર કી કહાની’, ‘બેનામ બાદશાહ’, ‘આ ગલે લગ જા’, ‘કરણ અર્જુન’, ‘કોયલા’, ‘ગુપ્ત’, ‘યસ બૉસ’, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’, ‘ખૂબસૂરત’, ‘બેટી નંબર 1’, ‘જોરું કા ગુલામ’, ‘ઇંતકામ’, ‘ઇત્તેફાક’, ‘ક્યા દિલને કહા’, ‘સિંઘમ’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવૂડમાં 80 અને 90ના દશકમાં તે વધારે એક્ટિવ હતાં. આ દરમિયાન તે ઘણીવાર સલમાન ખાન, શાહરૂખ ખાન અને ગોવિંદાની ફિલ્મોમાં જોવા મળ્યાં હતાં.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of excitement! ? The captivating content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! #MindBlown Embark into this cosmic journey of discovery and let your thoughts soar! ? Don’t just enjoy, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the worlds of discovery! ?

  2. I engaged on this online casino site and succeeded a considerable amount, but eventually, my mom fell sick, and I needed to withdraw some funds from my casino account. Unfortunately, I experienced issues and couldn’t withdraw the funds. Tragically, my mother died due to the casino site. I plead for your support in reporting this website. Please help me in seeking justice, so that others won’t have to face the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page