ફેમસ સીરિયલ ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’માં દયાભાભીનો રોલ કરનાર દિશા વાકાણીને પ્રેક્ષકો લાંબા સમયથી મિસ કરી રહ્યા છે. જ્યારે કેટલાક ચાહકો તો હવે તેને ફરી ટીવીના પડદા પર જોવા માટે ઉતાવળા થયા છે અને તેઓ ઈન્સ્ટાગ્રામ પર દિશાને ફરી એક્ટીવ થવા માટે કહી રહ્યા છે. દયાના કેટલાક ફેન્સ દયા તરફથી થતાં વિલંબને કારણે તેની પર ગુસ્સે પણ થયા હતાં.
હાલમાં જ દિશાએ તેમના ચાહકને તેમને જે પુછવું હોય તે પુછવા માટે કહ્યું હતું પરંતુ સામે એક શરત પણ મુકી હતી કે સીરિયલ અંગે કંઈ પુછવાનું નહીં. છતાં પણ એક ચાહકે તેમને આ અંગેનો પ્રશ્ન પુછ્યો અને કહ્યું હતું કે, તમારી અંદર આટલો ઈગો હશે એવું લાગતું નહોંતુ. તમારા ચાહકો તમને બોલાવીને થાકી ગયા છતાં કેમ નથી આવી રહ્યા? આ પ્રશ્નના જવાબમાં દિશાએ કહ્યું હતું કે, મહેરબાની કરીને મને સ્પેસ આપો.
અન્ય એક ચાહકે તેમને પુછ્યું હતું કે, તમે અન્ય કોઈ સીરિયલનું શુટીંગ નથી કરી રહ્યા તો શું કરી રહ્યા છો? આ અંગે દિશાએ કહ્યું હતું કે, તે “મધરહુડ”માં બિઝી છે અને તે તેનો આનંદ માણી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઘણાં લાંબા સમયથી દિશા વાકાણીની લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’માં રી-એન્ટ્રીને લઈને અવઢવ જોવા મળી રહી છે. જોકે વચ્ચે એવા સમાચાર પણ આવ્યા હતા કે, હવે તે ગણતરીના દિવસોમાં ફરી ટીવીના પડદા પર જોવા મળશે તો એવું પણ જાણવા મળ્યું હતું કે દયાના પાત્ર માટે અન્ય અભિનેત્રીઓની શોધ કરવામાં આવી રહી છે.
? Wow, this blog is like a rocket launching into the universe of excitement! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! #MindBlown Dive into this thrilling experience of discovery and let your thoughts roam! ✨ Don’t just enjoy, experience the thrill! ? Your brain will be grateful for this exciting journey through the realms of discovery! ?