અમદાવાદઃ અદાણી ગ્રુપના સુપ્રીમો તથા જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ વર્ષ 2020માં ફોર્બ્સના સૌથી વધુ ધનિકની યાદીમાં સ્થાન મેળવ્યું છે. ગૌતમ અદાણીમાં જોખમ લેવાની તથા તક ઓળખવાની કોઠાસૂજ છે. આ જ કારણે ડાયમંડ ટ્રેડર તરીકે કરિયરની શરૂઆત કરનાર ગૌતમ અદાણીએ કમાણીમાં વિશ્વના અનેક ઉદ્યોગપતિને પાછળ મૂકી દીધા છે.
ગૌતમ અદાણીનો એક કિસ્સો ઘણો જ પ્રખ્યાત છે. જ્યારે એક કર્મચારીએ પોતાની ભૂલને કારણે રાજીનામું આપ્યું તો ગૌતમ અદાણીએ તે કર્મચારીને સામે જ તેનું રાજીનામું ફાડી નાખ્યું હતું. આ ઘટના 1990ની છે. આ સમયે અદાણી એક્સપોર્ટ કંપનીનો એક કર્મચારીએ શુગર ટ્રેડિંગમાં ખોટો નિર્ણય લીધો હતો. આ કારણે કંપનીને 20 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. કર્મચારીએ નોકરીમાંથી પાણીચું પકડાવી દેશે, તેવા ડર સાથે જાતે જ રાજીનામું ધરી દીધું હતું.
ગૌતમ અદાણીએ તે કર્મચારીની સામે જ રાજીનામું ફાડી નાખ્યું હતું. 30 વર્ષીય ગૌતમ અદાણીએ કહ્યું હતું કે તેમને ખ્યાલ છે કે આવી ભૂલ બીજીવાર થશે નહીં. આ અનુભવનો ફાયદો કોઈ બીજી કંપની કેમ ઉઠાવે. જ્યારે કિંમત તેમણે ચૂકવી છે. અદાણી માત્ર કર્મચારીઓ પ્રત્યે આવો ભાવ નથી રાખતા, પરંતુ મિત્રો બનાવવામાં તથા મિત્રતા સાચવવામાં પણ વિશ્વાસ રાખે છે. આજ કારણે અદાણીની મિત્રતા રાજનેતાથી લઈ મોટા ઉદ્યોગપતિ સાથે છે.
વિપક્ષોનો આક્ષેપ છે કે વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં જો સૌથી વધુ ફાયદો થયો હોય તે તે અંબાણી તથા અદાણી છે. જોકે, ગૌતમ અદાણી તથા પીએમ મોદીની મિત્રતાની તો બધાને ખબર છે. જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ અદાણીનું વિમાન વાપરતા હતા. આ અંગે ગૌતમ અદાણીએ કહ્યું હતું કે તેમની કંપની ગુજરાત બેઝ્ડ છે અને તેથી જ તેનો ઉપયોગ કરવો સરળ છે. જેટલો પણ ઉપયોગ થયો હોય તેનું બિલ બનાવવામાં આવતું અને તે ચૂકવવામાં પણ આવતું હતું. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે આ તમામ વાતો માત્રને માત્ર રાજકીય છે. આમાં કોઈ સચ્ચાઈ નથી.\
1980માં અદાણી બજાજનું ગ્રે રંગનું સ્કૂટર ચલાવતા હતા અને આજે પોર્ટ, એરપોર્ટ, રિયલ એસ્ટેટ સહિતના અનેક વ્યવસાયના મહારથી છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે, 2021ના ગ્રોથરેટ મુજબ ગૌતમ અદાણીએ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કને પછડાટ આપી છે.
Spectacular, keep it up