નવી દિલ્હી: ICC વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાવાની છે. જોકે આ પહેલાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાઝ અહેમદના મામા મહેબૂબ હસને પાકિસ્તાનની સામે ‘કોહલી સેના’નું સમર્થન કર્યું છે. તેઓએ પાકિસ્તાન નહીં પરંતુ ભારતની ટીમને જીતતી જોવા માંગે છે.
સરફરાઝના મામા મહેબૂબ હસને કહ્યું હતું કે, હું ઈચ્છું છું કે ભારત પાકિસ્તાન સામે મેચ જીતે. હું એ પણ ઈચ્છું છું કે મારો ભાણિયો આજે રમાનાર મેચમાં સારું પ્રદર્શન કરે જેથી કરીને તે ટીમનો કેપ્ટન બની રહે.
જોકે તમે વિચારતા હશો કે સરફરાઝના મામાએ આમ કેમ કહ્યું કે ભારતની જીતમાં તેમને ખુશી મળશે. તો તેનો જવાબ એ છે કે સરફરાઝના મામાનું ઘર ઉત્તરપ્રદેશના ઈટાવામાં આવેલું છે. તેમના મામા મહેબૂબ હસન ઈટાવામાં રહે છે અને ઘણી વખત તે અહીં આવી ચૂક્યા છે. ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવાની વાત કરતાં સરફરાઝના મામા મહેબૂબે કહ્યું હતું કે, ભાણિયાનો પ્રેમ છે પરંતુ દેશ પહેલાં. આથી જ ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપમાં જીતતું જોવા માંગે છે.
સરફરાઝના દાદા હાજી વકીલ અહમદ મૂળ ઉત્તરપ્રદેશના ફતેહપુરના રહેવાસી હતા. આઝાદી બાદ પહેલાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં તેમના દાદાએ જીત મેળવી હતી અને પ્રધાન બન્યા હતા.
જોકે સરફરાઝના માતા પોતાના લગ્ન બાદ કરાચી શિફ્ટ થઈ ગયા હતાં. પરંતુ એક સંબંધ હિન્દુસ્તાનમાં પણ જીવીત રહ્યો હતો. તેઓ આજે પણ ભારતમાં રહેતા પોતાના ભાઈ મહેબૂબ સાથે સ્કાઈપના સહારે જોડાયેલા રહે છે. સરફરાઝ પણ મામાને ઘણી વખત મળી ચૂક્યા છે.
Terrific, continue
Outstanding, kudos
Amazing, nice one
ananin amina ayagimi sokucam az kaldi