નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2019ની લોકસભા ચૂંટણીમાં બીજેપીને મળેલી ભવ્ય સફળતા બાદ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ‘ચોકીદાર’ શબ્દ હટાવી દીધો છે. આ પહેલા કોંગ્રેસના ‘ચોકીદાર ચૌર હૈ’ના નારાના જવાબમાં પ્રધાનમંત્રી સહિત કેબીનેટના તમામ મંત્રીઓ અને ઘણા કાર્યકર્તાઓએ પોતાના નામ આગળ ‘ચોકીદાર’ શબ્દ લગાવ્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને કહ્યું, ”દેશવાસીઓએ ચોકીદાર બનીને રાષ્ટ્રની સેવા કરી. ચોકીદાર ભ્રષ્ટાચાર, સાંપ્રદાયિક્તા, જાતિવાદના દૂષણ સામે ભારતના રક્ષકોનું મજબૂત પ્રતિક બની ગયો છે. પ્રધાનમંત્રીએ બીજી ટ્વિટમાં કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આ ભાવનાને નવા સ્તર લઈ જવામાં આવે.
પીએમ મોદીએ ટ્વિટમાં કહ્યું કે, ‘ચોકીદાર’ શબ્દ મારા ટ્વિટરથી હટાવી રહ્યો છું પણ આ મારી અંદર વસેલો છે. મોદીએ તમામ લોકોને આવું કરવાનું અપીલ પણ કરી છે. પીએમ મોદી પછી બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને ગૃહમંત્રી રાજનાથસિંહ સહિત તમામ મોટા નેતાઓએ પણ ટ્વિટરથી પોતાના નામ આગળ ‘ચોકીદાર’ શબ્દ હટાવી દીધો છે.
? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of inspiring insights! #MindBlown ? into this exciting adventure of knowledge and let your imagination fly! ✨ Don’t just read, experience the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this exciting journey through the dimensions of awe! ✨