Friday, April 12, 2024
Google search engine
HomeGujaratપિતાના નિધન પછી નદીમાં અસ્થિ વિર્સજનની બદલે તેને જમીનમાં દાટી ઉપર વૃક્ષો...

પિતાના નિધન પછી નદીમાં અસ્થિ વિર્સજનની બદલે તેને જમીનમાં દાટી ઉપર વૃક્ષો વાવ્યા

રાજકોટમાં બે દીકરીઓએ સરાહનીય કાર્ય કર્યું છે. કોરોનામાં ઓક્સિજનના અભાવે પિતાનું નિધન થયું હતું. હવે બે દીકરીઓએ પિતાના અસ્થિને પાણીમાં વિર્સજન કરવાની જગ્યાએ તેને જમીનમાં દાટીને તેના પર સૌથી વધુ સૌથી વધુ ઓક્સિજન આપતાં 5 વૃક્ષો વાવ્યા છે.

રાજકોટમાં રહેતાં અને જોબવર્ક કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ભીમજીભાઇ બોડાનું થોડાક દિવસ પહેલાં કોરોનાથી નિધન થયું હતું. તેમના પત્ની હસ્મિતાબેન બોડા રાજકોટની ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેમને સંતાનમાં બે દીકરીઓ છે. ભીમજીભાઈના નિધન પછી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

ભીમજીભાઈના અવસાન બાદ તેમની દીકરી આરઝુ બોડાએ પિતાના હિન્દુ ધર્મ અનુસાર અંતિમ સંસ્કાર કર્યા હતા. તેમના આત્માના શાંતિ અર્થે શાંતિ યજ્ઞ પણ કર્યો હતો. જોકે અસ્થિનું પાણીમાં વિસર્જન કરીને જળને દૂષિત કરવાને બદલે તેમણે કંઇક અલગ નિર્ણય લીધો હતો.

દીકરીઓએ અસ્થિફૂલને પાંચ અલગ અલગ જગ્યાએ ખાડો કરી જમીનમાં પધરાવી ઉપર પીપળો, વડ, પીપળ, ઉમરો અને પારસપીપળો જેવા પાંચ વૃક્ષ વાવ્યા હતા. જેનાથી વૃક્ષોના રૂપમાં એમની સ્મૃતિ કાયમી ધોરણે જળવાય રહે. પક્ષીઓને રહેઠાણ અને ખોરાક મળી રહે અને પર્યાવરણને પણ ફાયદો થાય.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of endless possibilities! ? The captivating content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! ? Dive into this cosmic journey of imagination and let your thoughts soar! ✨ Don’t just enjoy, savor the excitement! ? Your mind will thank you for this thrilling joyride through the realms of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page