મેરઠ: ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર પ્રવીણ કુમારના સસરા અનિલ કુમારનું ઘરના ત્રીજા માળેથી નીચે પટકાતાં મોત નીપજ્યું હતું. અવજા આવતાં જ લોકો ધાબા પર દોડી ગયા હતા જ્યારે આ જોઈને પરિવારનો સભ્યો રડી પડ્યા હતાં.
ટીપી નગર પોલીસ પ્રભારી પ્રમોદ કુમાર ગૌતમના જણાવ્યા પ્રમાણે, પરિવારના સભ્યોએ કહ્યું કે રવિવારે સવારે સવા 10 વાગ્યાની આસપાસ અનિલ કુમાર પુદીનાના પાન તોડવા ઘરના ત્રીજા માળે ગયા હતાં. જોકે ધાબા પર વરસાદનું પાણી ભરાઈ ગયું હતું જેના કારણે તેમનો પગ અચાનક લપસી ગયો હતો અને તેઓ બાજુના મકાનના ધાબા પર જોરથી પટકાયા હતા.
અવાજ સાંભળતાં જ લોકો ધાબા પર દોડી આવ્યા હતાં જ્યાં જોઈને પરિવારના સભ્યો રડી પડ્યા હતાં. જોકે બાદમાં પરિવારજનોએ તેમને ગંભીર હાલતમાં બાગપત રોડ સ્થિત કેએમસી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતાં જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રવિણ કુમારના સસરા સેનાના સેવાનિવૃત્ત હવલદાર હતા.
આ ઘટનાની જાણ થતાં જ પ્રવિણ કુમાર હોસ્પિટલ દોડી ગયો હતો. જ્યાં તેણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ધાબા પર વરસાદનું પાણી ભરાઈ જવાથી તેમના સસરાનો પગ લપસી ગયો હતો અને દુર્ઘટના બની હતી. થાના પ્રભારી અનુસાર, પરિવારજનોએ આને એક દુર્ઘટના ગણાવી છે તેમ છતાં ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી અને તપાસ ચાલી રહી છે.
? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of wonder! ? The thrilling content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities ? into this thrilling experience of imagination and let your mind soar! ✨ Don’t just read, savor the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the dimensions of endless wonder! ?
Today needed a positive boost, and your post came at the perfect time. Keep filling our days with positivity! ?