Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratઅંબાજી: ઘાટ પાસે ડાલાની બ્રેક ફેઈલ થતાં સર્જાયો અકસ્માત, 10 લોકોનાં ઘટનાસ્થળે...

અંબાજી: ઘાટ પાસે ડાલાની બ્રેક ફેઈલ થતાં સર્જાયો અકસ્માત, 10 લોકોનાં ઘટનાસ્થળે જ મોત

અંબાજી: બનાસકાંઠા હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોનાં મોત નિપજ્યાં હતાં. અંબાજી પાસેના ત્રિશુળીયા ઘાટ પાસે મુસાફર ભરેલું ડાલું પલટી મારી હોવાથી આ અકસ્માત સર્જાયો હતો. ડાલાની બ્રેક અચાનક ફેઈલ થતાં ગાડી પલટી મારી ગઈ હતી. જેમાં 9 જેટલા શ્રદ્ધાળુઓના મોત નિપજ્યાં હતાં.

વડગામના ભલગામથી અંબાજી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે માર્ગ પર ડાલું અચાનક પલટી મારી જતાં આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 જેટલા શ્રદ્ધાળુઓનાં મોત નિપજ્યાં હતા અને અન્ય કેટલાંક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જીપ ડાલામાં 25થી વધુ મુસાફરો સવાર હતા. ઘાયલ મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

આ દુર્ઘટનાની જાણ થતાં જ 108 અને આરોગ્ય વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને પાલનપુર અને દાંતાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #MindBlown Dive into this cosmic journey of knowledge and let your mind roam! ✨ Don’t just explore, savor the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the worlds of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page