તારક મહેતા કા ઉલટા ચશમા સિરિયલ ટીવીની સૌથી લાંબી ચાલનારી સિરિયલમાંથી એક છે. આ સિરિયલે લોકોનું દિલ જીતી લીધું છે. આ સિરિયલમાં દરેક અલગ અલગ રાજ્યના હોવા છતાં હળીમળી ને રહે છે. આ સિરિયલ લોકોને ભાઈચારા વિશે ઘણું શીખવે છે. જોકે, છેલ્લાં કેટલાક વર્ષથી તારક મહેતા કા ઉલટા ચશમાની મુખ્ય કલાકાર દયાબેન જોવા મળતાં નથી. તેમની એન્ટ્રી અંગે ઘણી અટકળો થઈ રહી હતી કે, જલદી જ સિરિયલમાં એન્ટ્રી કરશે. તો બીજી તરફ ખુદ સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદીએ દયાબેનની એન્ટ્રી અંગે સંકેત આપ્યા છે.
અસિત મોદીનું સરપ્રાઇઝ
અસિત મોદીએ દયાબેનની એન્ટ્રીનો સંકેત 22 એપ્રિલના એપિસોડમાં આપ્યો છે. અસિત મોદીએ ગોકુલધામવાસીઓને કોઈ સરપ્રાઇઝની વાત કરી હતી. જે અંગે જેઠાલાલ, બબીતા, અય્યર, તારક અને અંજલીને પણ સરપ્રાઇઝ અંગે ખૂબ જ ઉત્સુક છે. દરેક જાણવાં ઇચ્છે છે કે, સરપ્રાઇઝ શું છે? ત્યારે પોપટલાલ અસિત મોદીને પણ કોલ કરે છે અને પૂછે છે કે, સરપ્રાઇઝ શું છે? જોકે, અસિત મોદીએ પોપટલાલને જણાવવાની ના પાડી કહ્યું છે કે, સવારે 11 વાગ્યા પહેલાં કોઈને કંઈ કહેશે નહીં.
ગોકુલધામ વાસીઓ પર બની એનિમેટેડ સીરીઝ
અસિત મોદીના સરપ્રાઇઝ વિશે જાણવા માટે બબીતા અને અય્યર પણ જેઠાલાલના ઘરે પહોંચી જાય છે. તો થોડી વાર પછી જેઠાલાલની સાથે સાથે બાકીના ગોકુલધામવાસીઓ સાથે એક વીડિયો લિન્ક મળે છે. જે તારક મહેતા કા ઉલટા ચશમાના એનિમેટેડ કાર્ટૂનનું ટ્રેલર હોય છે. આ પછી તરત જ અસિત મોદી પણ દરેકને કોલ કરે છે અને ગોકુલધામ સોસાયટી પર બનેલી એનિમેટેડ સિરીઝ વિશે દરેકનો વિચાર જાણવાનો પ્રયત્ન કરે છે.
કોરોના પછી થશે એન્ટ્રી
ગોકુલધામ સોસાયટી પર બનેલી એનિમેટેડ સિરિઝ અંગે દરેક ગોકુલધામવાસીઓએ અસિત મોદીનો આભાર માન્યો હતો. આ વચ્ચે અસિત મોદીએ દયાબેનની વાપસી પર હિંટ આપતાં જેઠાલાલને કહ્યું કે, ‘કોરોનાકાળ પુરો થયા પછી દયાભાભી ગોકુલધામ સોસાયટીમાં ગરબા રમતાં-રમતાં પગલાં પાડશે.’
ઉલ્લેખનીય છે કે, તારક મહેતા કા ઉલટા ચશ્મામાં દિશા વાકાણી દયાબેનનો રોલ પ્લે કરી રહી છે. તેમની વાપસી અંગે અસિત મોદીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘જેટલા લોકો દિશા વાકાણીને દયાના રૂપમાં પાછી જોવા માગે છે એવું હું પણ ઇચ્છું છું કે જલદી તે શો પર પાછા આવી જાય.’
મીડિયા રિપોર્ટ મુજબ દયાભાભીનો રોલ પ્લે કરનારી એક્ટ્ર્સ દિશા વાકાણી પોતાની ફીમાં વધારો અને ઓછો સમય માગ્યો હતો. જોકે, તેના પર તારક મહેતાના પ્રોડ્યુસર સહમત થયાં નહોતાં. હવે ફેન્સ સતત ડિમાન્ડ કરી રહ્યા છે કે, તે દયાબેનના રોલને પાછો જોવા માગે છે. તો ફેન્સની ડિમાન્ડને જોતાં અસિત મોદી પણ એવું ઇચ્છે છે કે, દયાની સિરિયલમાં જલદી એન્ટ્રી થઈ જાય.
એક ઇન્ટરવ્યૂમાં એસિત મોદીએ કહ્યું હતું કે, કોવિડની સ્થિતિની લીધે અમારા માટે પરિસ્થિતિ વધુ બગડી ગઈ છે અને ચેલેન્જિંગ છે. જેટલું ઓડિયન્સ દિશા વાકાણીને દયાના રોલમાં જોવા ઇચ્છે તે એટલું હું ઇચ્છું છું કે તે સિરિયલમાં પાછા આવી જાય. હું ઓડિયન્સને કહેવા માગીશ કે, તેમના પ્રેમ માટે ખૂબ ખૂબ આભાર આટલું બધુ થયું છતાં તેમનો તારક મહેતા માટે પ્રેમ ઓછો થયો નથી.
સિરિયલના પ્રોડ્યુસરે વધુમાં કહ્યું કે, અમે ક્રિટિસિઝનમે હંમેશા પોઝિટિવલી લઈએ છીએ. લોકોને જો લાગતું હોય કે, કોઈ વસ્તુનો અભાવ છે તો અમે વધુ મહેનત કરીશું. હું સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છું હંમેશા લોકોના સજેશન અને ફીડબેક લવ છું. દયાબેનના કમબેક અને પોપટલાલના લગ્ન પર ફોકસ કરીશું.
ઉલ્લેખનીય છે કે, છેલ્લાં દિવસોથી સોશિયલ મીડિયા પર સેજશન આપતાં હતાં કે, હવે કંઈક નવું થાય અને ઇન્ટ્રેસ્ટિંગ થવું જોઈએ. ફેન્સે મેકર્સને સલાહ આપી હતી કે, દયાબેનની રીએન્ટ્રી ઉપરાંત પોપટલાલના હવે લગ્ન કરાવી દો.
I like the valuable info you provide in your articles. I will bookmark your weblog and check again here frequently.
I’m quite sure I’ll learn many new stuff right here!
Best of luck for the next!
Wow lots of awesome tips.
I am really enjoying the theme/design of your weblog.
Do you ever run into any browser compatibility issues? A small number of my blog audience have
complained about my blog not operating correctly in Explorer but
looks great in Safari. Do you have any ideas to help fix
this problem?
There’s definately a lot to learn about this issue.
I like all the points you’ve made.
Hi there, just wanted to tell you, I liked this post.
It was inspiring. Keep on posting!
Nicely put, Thanks a lot!
Good information. Thanks!
Thanks. Useful stuff!
Kudos! I enjoy it!
You said it perfectly..
Kudos. A good amount of postings!
Many thanks! A good amount of tips!
Thanks, Wonderful information!
Truly lots of terrific material!