નવી દિલ્હી: આજે સવારે એટલે રવિવારે સીનિયર વકીલ રામ જેઠમલાણીનું નિધન થયું છે. તેઓ 96 વર્ષના હતાં. 96 વર્ષીય રામ જેઠમલાણી સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ હતા. તેમની ગણતરી દેશના પ્રસિદ્ધ ક્રિમિનલ વકીલોમાં કરવામાં આવતી હતી. તેઓ ભાજપ તરફથી રાજ્યસભા સાંસદ પણ રહી ચૂક્યા છે.
જેઠમલાણી હાઈપ્રોફાઇલ કેસો ઉપરાંત પોતાના નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહેતા હતા. જેઠમલાણીએ 17 વર્ષની ઉંમરે જ વકીલની ડિગ્રી મેળવી હતી. ત્યારે નિયમોમાં સંશોધન કરી તેમને 18 વર્ષની ઉંમરે પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે નિયમ મુજબ પ્રેક્ટિસની ઉંમર મર્યાદા 21 વર્ષ હતી.
Delhi: Vice President M Venkaiah Naidu pays last respects to veteran lawyer and former Union Minister Ram Jethmalani. He passed away this morning at the age of 95. pic.twitter.com/gfmKtjOmbL
— ANI (@ANI) September 8, 2019
જેઠમલાણીએ જે મુખ્ય કેસ લડ્યા તેમાં નાનાવટી વિરૂદ્ધ મહારાષ્ટ્ર સરકાર, પૂર્વ પીએમ ઈન્દિાર ગાંધીના હત્યારા સતવંત સિંહે અને બેઅંત સિંહ, હર્ષદ મહેતા સ્ટોક માર્કેટ સ્કેમ, હાજી મસ્તાન કેસ, હવાલા સ્કેમ, મદ્રાસ હાઈકોર્ટ, આતંકી અફઝલ ગુરુ, જેસિકા લાલ મર્ડર કેસ, રજી સ્કેમ કેસ અને આસારામનો મામલો સામેલ છે.
તેની સાથે જ જેઠમલાણીએ બાબા રામદેવ, રાજીવ ગાંધીના હત્યારા, લાલુ યાદવ, જયલલિતા અને જગન રેડ્ડી તરફથી પણ કેસ લડી ચૂક્યા હતાં. આઝાદ ભારતના ઈતિહાસમાં અનેક પ્રસંગે રામ જેઠમલાણી કાળો કોટ પહેરીને ઊભાર રહેવા જોવા મળ્યાં હતાં. એક સમયે દેશના સૌથી વધુ ટેક્સ ભરનારા લોકોમાં સામેલ રહેલા જેઠમલાણીએ અનેક ચર્ચાસ્પદ મામલાઓમાં મફત કેસ લડ્યા હતા.
Delhi: Union Home Minister Amit Shah pays last respects to veteran lawyer and former Union Minister Ram Jethmalani at the latter’s residence. Ram Jethmalani passed away this morning at the age of 95. pic.twitter.com/HCKoXZOplS
— ANI (@ANI) September 8, 2019
પોતાના અંદાજના કારણે એક સમયે ભાજપમાં રહેલા જેઠમલાણી અટલ બિહારી કેબિનેટમાં મંત્રી બન્યા હતા. બાદમાં પાર્ટીથી 6 વર્ષ મમાટે પ્રતિબંધિત થયા બાદ અટલ બિહારી વાજપેયીની વિરુદ્ધ જ ચૂંટણી લડવા ઉતર્યાં હતા.
Veteran lawyer Ram Jethmalani passes away at his residence in Delhi. He was 95 years old. (file pic) pic.twitter.com/Utai8qxxh4
— ANI (@ANI) September 8, 2019
જેઠમલાણીએ સાત દશક લાંબી વકીલાતની કારર્કિદીથી સંન્યાસ લેવાની જાહેરાત વર્ષ 2017માં કરી હતી. સંન્યાસ લેવાની જાહેરાત કરતી વખતે તેઓએ કહ્યું હતું કે, તેઓ ભ્રષ્ટ રાજનેતાઓની વિરૂદ્ધ લડાઈ ચાલુ રાખશે. જેઠમલાણીનો જન્મ 14 સપ્ટેમ્બર 1923ના રોજ સિંધ (પાકિસ્તાન)ના શિકારપુરમાં થયો હતો.
? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of wonder! ? The mind-blowing content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits ? into this cosmic journey of imagination and let your thoughts roam! ? Don’t just read, immerse yourself in the excitement! #BeyondTheOrdinary ? will be grateful for this exciting journey through the worlds of awe! ?