હૈદરાબાદમાં મહિલા વેટરનરી ડોક્ટર સાથે દુષ્કર્મ આચરનાર ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર કર્યાં બાદ એક બાજુ પીડિતાના પરિવારની સાથે-સાથે આખો દેશ બહુ ખુશ જોવા મળી રહ્યો છે ત્યાંરે આરોપીઓના ઘરમાં માતમ છવાયેલો જોવા મળ્યો છે. ઘણાં પરિવારજનોનું કહેવું છે કે, તેમને તેમનો દીકરો મર્યો તેનું દુ:ખ નથી પરંતુ એકવાર પોલીસે છેલ્લીવાર તેમને મળવા દીધા હોત.
મહિલા ડોક્ટરના હત્યાના આરોપી ચેન્ને કેશવલુના પિતાએ કહ્યું હતું કે, અમે તો પહેલાં જ કહી દીધું હતું કે, અમારા દીકરાએ ગુનો કર્યો છે તેને મારી નાખો. પરંતુ પોલીસે છેલ્લીવાર અમને તેની સાથે મળવા ન દીધા તેનું બહુ દુ:ખ છે. માર્યાં પહેલાં એકવાર મળવા દેવા જોઈતા હતા.
કેશવુલુની પત્નીએ કહ્યું હતું કે, અમારાં લગ્ન એક વર્ષ પહેલાં જ થયાં હતાં તેમને આ રીતે મારી નાખશે એવું મેં વિચાર્યું પણ નહોતું. મુખ્ય આરોપી મોહમ્મદ આરિફની માંએ કહ્યું હતું કે, મારા પુત્રને આ રીતે મારીને સારું નથી કર્યું પોલીસે બહુ ખરાબ કર્યું છે.
આરોપી નવીનની માએ કહ્યું હતું કે, તેને માર્યો તેનું અમને દુ:ખ નથી પરંતુ છેલ્લી વાર અમને તેની સાથે મળવા ન દીધા તેનું દુ:ખ છે. માર્યા પહેલાં એકવાર મળવા દીધા હોત અને વાત કરવા દીધી હોત તો.
? Wow, this blog is like a rocket soaring into the universe of excitement! ? The captivating content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! #MindBlown Embark into this cosmic journey of imagination and let your mind fly! ? Don’t just enjoy, immerse yourself in the excitement! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the realms of endless wonder! ✨