અમદાવાદઃ દિવાળીની દિવસે ધન-ધાન્યની કામના કરવામાં આવે છે. જૂના સમયમાં આ દિવસે સાધુ લોકો સિદ્ધિની કામના કરતા હોય છે તો કેટલાંક તંત્ર-મંત્રમાં વિશ્વાસ કરતા હોય છે. તમે પણ આ દિવાળી પર આ ટોટકાઓનો ઉપયોગ કરીને આર્થિક સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છે.
1. જો તમે ઈચ્છો છો કે આવકમાં વૃદ્ધિ થાય તો દિવાળીના દિવસે આખા અડદ, દહીં તથા સિંદૂર પીપળાના મૂળમાં મૂકો અને દિવો પ્રગટાવો.
2. જલ્દી ધનલાભ જોઈતો હોય તો દિવાળીના દિવસે વડની વડવાઈઓમાં ગાંઢ મારો અને ધનલાભ થાય ત્યારે આ ગાંઢ છોડી નાખવી.
3. હથ્થા જોડી (એક જાતનું દુર્લભ છોડ)માં સિંદૂર લગાવીને તિજોરીમાં મૂકી દેવું, તમારીઆવક વધશે અને નકામા ખર્ચ ઘટશે.
4. શેરડીના મૂળને લાલ વસ્ત્રમાં લપેટીને સિંદૂર તથા લાલ ચંદન લગાવો અને તિજોરીમાં રાખો.
5. દેવી લક્ષ્મીની પૂજાના સમયે ગોમતી ચક્રને પૂજાની થાળીમાં રાખીને માતાની પૂજા કરો. આમ કરવાથી ધન વધશે.
6. દિવાળીની રાતે ઘુવડની તસવીર તિજોરીમાં મૂકો. માનવામાં આવે છે કે ઘુવડ દર પૂનમે પીપળાના ઝાડનું ચક્કર લગાવે છે, જ્યાં માતા લક્ષ્મીનોવાસ છે. કહેવાય છે કે ઘુવડની તસવીર હોવાથી માતા લક્ષ્મી હંમેશાં તિજોરીમાં રહે છે.
7. દેવી લક્ષ્મીને દિવાળીના દિવસે કાળી હળદર અર્પણ કરવી. પૂજા બાદ હળદરને લાલ કપડાંમાં બાંધીને તિજોરીમાં મૂકો.
8. પીપળાના પાન પર દિવો પ્રગટાવીને પાણીમાં પ્રવાહિ કરો અને આર્થિક સમસ્યાથી છુટકારો મેળવો.
9. દિવાળી પૂજા બાદ કાળા તલ હાથમાં લઈને તમામ સભ્યોના માથા પરથી સાત વાર ફેરવીને ફેંકી દો. આમ કરવાથી ક્યારેય ધનનું નુકસાન થતું નથી.
? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of endless possibilities! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #InfinitePossibilities Dive into this thrilling experience of imagination and let your mind fly! ? Don’t just read, immerse yourself in the thrill! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the realms of endless wonder! ?