Friday, April 12, 2024
Google search engine
HomeGujaratસુરતની હ્રદયદ્રાવક ઘટના: પરિવારજનોએ કેવી રીતે શોધ્યા પોતાના બાળકોના મૃતદેહ

સુરતની હ્રદયદ્રાવક ઘટના: પરિવારજનોએ કેવી રીતે શોધ્યા પોતાના બાળકોના મૃતદેહ

સુરત: સુરતમાં સરથાણા જકાતનાકા પાસે તક્ષશિલા આર્કેટ નામની બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી. આ આગમાં 40થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા હતા જેમાં 21 જેટલા વિદ્યાર્થીઓનાં મોત નિપજ્યાં છે. આગનો વીડિયો જોઈને બધાંનું દ્રવી ઉઠ્યું હતું.

સુરતમાં આવેલ સ્મીમેર હોસ્પિટલમાં પોતાનાં બાળકોનાં મૃતદેહ પરિવારજનોએ દીલ પર પથ્થર મુકીને શોધતા હતાં જોવા મળ્યાં હતાં. આ દ્રશ્ય જોઈને કોઈનું પણ મન હચમચી જાય તેવું હતું. આ દુર્ઘટનામાં મૃત્યુંઆંક 21 સુધી પહોંચ્યો છે.

હોસ્પિટલમાં એકસાથે મુકેલા મૃતદેહોને શોધવા પરિવારજનોએ ઘડિયાળ, બુટ્ટી, વીંટી, મોબાઈલ, પહેરેલા કપડાં, અંડર ગાર્મેન્ટનો સહારો લઈને પોતાના બાળકોને શોધ્યા હતાં. આ વિદ્યાર્થીઓ ઘરેથી નીકળ્યાં ત્યારે કયા કલરનાં કપડાં પહેર્યાં હતાં તે યાદ કરી કરીને મૃતદેહો શોધતા પરિવારજનો જોવા મળ્યાં હતાં.

સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મુકેલા મૃતદેહને ઓળખતા પરિવારજનોને જોતાં કોઈનું પણ મન રળી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. આ ઘટનાના પડઘા આખા સુરત સહિત દેશમાં પડ્યાં હતાં.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of excitement! ? The thrilling content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! ? Dive into this exciting adventure of knowledge and let your thoughts soar! ? Don’t just explore, experience the excitement! #FuelForThought Your brain will be grateful for this exciting journey through the realms of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page