અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની 69મો બર્થ-ડે માતા હીરાબા સાથે બપોરનું ભોજન લીધા બાદ પ્રોટોકોલ તોડીને મોડી સાંજે લગભગ પોણા આઠ વાગ્યા સુધી રાજભવનમાં જ રોકાણ કર્યું હતું. નરેન્દ્ર મોદીએ રાજભવનમાં થોડો સમય મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા મુખ્ય સચિવ ડો. જે. એન. સિંઘ સાથે ચર્ચાં કરી હતી ત્યાર બાદ મોટાભાગના સમયમાં એમના અતિવિશ્વાસુ એવા ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી કે. કૈલાસનાથન સતત એમની સાથે જોવા મળ્યાં હતાં.
બીજી તરફ, નરેન્દ્ર મોદીનો બપોરના ત્રણ વાગ્યે નવી દિલ્હી પરત જવાનો કાર્યક્રમ રદ્દ થયા બાદ સાંજે 6.30 વાગ્યે તેઓ દિલ્હી જશે એવું નક્કી થયું હતું, જેને કારણે ગવર્નર દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ સરકારના મંત્રીઓ લગભગ સાડા પાંચ-પોણા છના અમદાવાદ એરપોર્ટ ઉપર વડાપ્રધાનને વળાવવા આવ્યા હતા પરંતુ આ બધાંને બે-અઢી કલાક એરપોર્ટ ઉપર બેસી રહેવું પડ્યું હતું.
નરેન્દ્ર મોદીનું પ્લેન લગભગ સવા આઠે નવી દિલ્હી જવા રવાના થયું હતું ત્યાર બાદ મુખ્યમંત્રી પણ તેમના અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમ મુજબ સુરત જવા રવાના થયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીજી ઓક્ટોબરે 150મી ગાંધી જયંતી નિમિતે સાબરમતી ગાંધી આશ્રમ અને તેની પાછળ રિવરફ્રન્ટ ખાતે યોજાનારા રાષ્ટ્રીય કાર્યક્રમના આયોજન સંબંધે નરેન્ગદ્ર મદીએ વિજય રૂપાણી અને મુખ્ય સચિવ પાસેથી વિગતો મેળવી હતી.
ગવર્નર દેવવ્રત આચાર્ય, કે. કૈલાસનાથન્ તથા પીએમઓના ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં સામેલ થયા હતા. બીજી ઓક્ટોબરે વડાપ્રધાન મોદીના સાંનિધ્યમાં જે કાર્યક્રમ યોજાવાનો છે તેમાં દેશભરના 10 હજાર જેટલા સરપંચો તેમજ સ્વચ્છતા ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓના પ્રતિનિધિઓ અને એટલી જ સંખ્યામાં ગુજરાતના સરપંચો તથા પ્રતિનિધિઓ ભાગ લેવાના છે, જે નિહાળવા વિદેશોના ડેલિગેટ્સ પણ આવવાના છે.
? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of excitement! ? The captivating content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! ? Embark into this cosmic journey of discovery and let your imagination soar! ? Don’t just enjoy, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the realms of awe! ?