ભોપાલઃ ભોપાલના બૈરસિયા પોલીસ વિસ્તારમાં આવેલા ઢેકપુરમાં 35 વર્ષીય કલાબાઈએ તાજેતરમાં જ ઘરે ફાંસી ખાઈને આત્મહત્યા કરી હતી. કલાબાઈને સંતાન ના હોવાથી તે ડિપ્રેશનમાં હતી. ટીઆઈ એસએન પાંડેએ કહ્યું હતું કે પોલીસ ઘટના સ્થળે પહોંચી તો વરસાદને કારણે રસ્તો ઘણો જ ખરાબ હતો. ગામમાં એક પણ વાહન આવી શકે તેમ નહોતું. આથી જ પરિવારની મદદથી પોલીસ પાર્થિવ દેહને ખાટલા પર મૂકીને ત્રણ કિમી સુધી ચાલીને હોસ્પિટલ લઈ ગઈ હતી. પોલીસની આ કામગીરીથી આસપાસના લોકોએ પોલીસના વખાણ કર્યાં હતાં. પોલીસે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
પરિવારે શું કહ્યું?
પરિવારે કહ્યું હતું કે કલાબાઈને કોઈ સંતાન હોતું અને તેથી જ તે સતત ડિપ્રેશનમાં રહેતી હતી. પોસ્ટમોર્ટમ માટે પાર્થિવ દેહને હોસ્પિટલ સુધી લાવવા માટે એએસઆઈ મુન્નીલાલ ઓઝા, ગયારામ શાક્ય, શ્રીધર ચંદેરિયા, સિપાહી માંગીલાલ તથા સૈનિક કામતા પ્રસાદે પરિવારની મદદ કરી હતી.
? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of excitement! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exciting insights! #MindBlown Embark into this cosmic journey of imagination and let your thoughts fly! ? Don’t just explore, savor the thrill! #FuelForThought ? will thank you for this thrilling joyride through the worlds of awe! ?