અમદાવાદઃ જ્યોતિષમાં અનેક લોકોને શ્રદ્ધા હોય છે. જીવનની મુશ્કેલીઓ દૂર કરવા તથા સુખ-સમૃદ્ધિ માટે વ્યક્તિ શક્ય તેટલા જ્યોતિષ ઉપાય કરે છે. જ્યોતિષીય ઉપાયથી લોકોને ફાયદો મળે ચે. જોકે, દરેક વ્યક્તિ માટે એક જેવો જ્યોતિષ ઉપાય કારગર નીવડતો નથી. અનેકવાર કેટલાંક લોકો જ્યોતિષાચાર્યની સલાહ વગર જ જ્યોતિષના ઉપાય કરે છે, જેને કારણે ફાયદાને બદલે નુકસાન થાય છે. આજે આપણે એવા જ કેટલાંક ઉપાય અંગે વાત કરીશું, જે લાભ કરાવવાને બદલે નુકસાન કરાવે છે. આ ઉપાયો માત્રને માત્ર કોઈ જ્યોતિષને બતાવ્યા બાદ જ કરી શકાય છે.
– જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય સાતમા તથા આઠમા સ્થાને હોય તો વ્યક્તિએ ક્યારેય તાંબાનું દાન કરવું જોઈએ નહીં. આનાથી ધન, માન-સન્માનને હાનિ થાય છે.
– જો કુંડળીમાં ગુરુ દસમા કે ચોથા ભાવ પર હોય તો આવા જાતકોએ મંદિરમાં ક્યારેય દાન કરવું નહીં. તેમના માટે આ ઘણું જ અશુભ છે.
– જ્યોતિષના મતે, જો કોઈ જાતકની કુંડળઈમાં કોઈ ગ્રહ ઉચ્ચ અવસ્થામાં છે, તો તે વ્યક્તિએ તેનાથી જોડાયેલ એક પણ દાન કરવુ નહીં.
– દિવસના હિસાબે વસ્ત્રોના રંગ પસંદ કરવા દરેક માટે ફાયદાકારક નથી. જ્યોતિષ પ્રમાણે, જે ગ્રહ શુભ સ્થિતિમાં નથી, તે ગ્રહને અનુરુપ રંગના કપડાં પહેરવા અશુભ છે. કુંડળીમાં આવેલા શુભ ગ્રહોને આધારે વસ્ત્રો પહેરવા જોઈએ.
– પોખરાજ પહેરવાથી વ્યક્તિના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને લગ્ન સંબંધિત અડચણો દૂર થાય છે. જો કોઈ જાતકની કુંડળીમાં ગુરુ શત્રુના ઘરમાં હોય તો તેના માટે પોખરાજ અશુભ ફળ આપે છે.
– ઘરમાં મની પ્લાન્ટ લગાવવો શુભ માનવામાં આવે છે. જોકે, જે જાતકોની કુંડળીમાં બધુ ગ્રહ ખરાબ સ્થિતિમાં હોય તેમને ઘરમાં ક્યારેય મની પ્લાન્ટ લાવવો નહીં.
– જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ નબળો છે અને તે વ્યક્તિના ઘરમાં કેક્ટસ જેવા કાંટાવાળા છોડ લગાવવા જોઈએ નહીં. આનાથી કુંડળીમાં અશુભ શનિ તાકતવર બને છે.
– કુંડળીમાં ચંદ્રમાને શુભ બનાવવા માટે મોતી પહેરવાની સલાહ આપવામાં આવે છે પરંતુ જો કુંડળીમાં ચંદ્રમા નબળો હોય તો મોતી પહેર્યાં બાદ થોડાં સમય બાદ જ તે વ્યક્તિ ડિપ્રેશનમાં જતો રહે છે. જ્યોતિષની સલાહ વગર ક્યારેય મોતી ધારણ કરવું જોઈએ નહીં.
Your post is a ray of light in the darkness. Thank you for brightening my day in a unique way. Keep shining! ☀️
I tried my luck on this online casino platform and won a substantial pile of money. However, later on, my mom fell gravely ill, and I wanted to take out some money from my casino balance. Unfortunately, I experienced difficulties and was unable to withdraw the funds. Tragically, my mom passed away due to the gambling platform. I kindly plead for your assistance in bringing attention to this situation with the online casino. Please help me to find justice, to ensure others won’t experience the hardship I’m facing today, and stop them from facing similar tragedy. ??
Amazing, nice one