અમદાવાદ: કથાકાર મોરારી બાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાયના વિવાદની હજુ શાહી સૂકાઈ નથી ત્યાં ફરી એક ધાર્મિક વિવાદ સામે આવ્યો છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સંત ધર્મવલ્લભ સંપ્રદાયનો એક વીડિયો વાયરલ થયો છે. ગુરૂકુળના સ્વામી ધર્મવલ્લભ પોતાના પ્રવચનમાં ભગવાન શ્રીકૃષ્ણના અસ્તિત્વ સામે સવાલ ઉઠાવતાં જોવા મળ્યાં હતાં. તેમણે પોતાના પ્રવચનમાં પાંડવોને વર્ણશંકર ગણાવ્યાં હતા. આ વીડિયો વાયરલ થયા બાદ આહિર સમાજ રોષે ભરાયો છે.
આ વીડિયો વાયરલ થયા બાદ સાધુ ધર્મવલ્લભદાસે એક વીડિયોના માધ્યમથી એક જાહેર ખુલાસો આપીને કહ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણમાં અમારી શ્રદ્ધા. તેમણે કહ્યું હતું કે, હું જે બોલ્યો તે ભગવાન કૃષ્ણ વિશે દાનવ શિશુપાલે કહેલી વાત હતી અને હું ભક્તોને તેના માધ્યમથી સમજાવી રહ્યો હતો કે દાનવોએ ભગવાન કૃષ્ણ વિશે કેવા કેવા પ્રકારની ટિપ્પણીઓ પણ કરી હતી.
આ વીડિયોમાં તેઓ કહી રહ્યાં છે કે, કૃષ્ણ ભગવાન હતા? પાંડવોએ પૂજ્યો, વર્ણશંકર એવા પાંચ પાંડવે પૂજ્યા એટલે ભગવાન થઈ ગયા હતાં. મધના પૂડા ઉખેડ્યાં એટલે મધુસૂદન કેવાયા શું ઉપમાં આપી છે. ગોવાળિયો છે લાકડી લઈને વાછરડા ચારતો હતો. આ પરંપરા ઉપરથી નીચે સુધી ચાલી આવી છે.” આ પ્રકારના વિવાદના કારણે હિંદુઓની આસ્થા દુભાય રહી છે.
તેમણે કહ્યું હતું કે, વ્હાલા ભક્તજનો મારી કથાનો એક ટૂકડો છૂટો પાડી તેને રજૂ કરાયો છે એ અંગે ખુલાસો કરું છું. હું સુરત ગુરૂકુળમાં હતો ત્યારે વચનામૃત આપી રહ્યો હતો. એ વખતે જ્યારે મેં શિશુપાલે ભગવાન વિશે આપેલું નિવેદન હું બોલ્યો હતો. શિશુપાલ બોલ્યો હતો કે, ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન નહોતા એ તો ગોવાળિયા હતા. પાંડવો વર્ણશંકર હતા. આવું શિશુપાલ બોલ્યો હતો તેના વિશે હું વચનામૃત આપી રહ્યો હતો. આથી કોઈ ભક્તો તેને અવળી રીતે ન લે. દરેક સ્વામીનારાયણ મંદિરમાં જનમાષ્ટમીના તહેવાર ઉજવાય છે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાય છે. આથી કોઈ પણ ભક્તો આ બાબતને ખોટી રીતે ન લે તેવી પ્રાર્થના.
? Wow, this blog is like a cosmic journey soaring into the universe of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! #AdventureAwaits Dive into this exciting adventure of imagination and let your imagination fly! ✨ Don’t just read, immerse yourself in the thrill! #FuelForThought ? will be grateful for this exciting journey through the realms of endless wonder! ?