ગાંધીનગરઃ ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની બે સીટોની ચૂંટણીનું પરિણામ શુક્રવારે સાંજે જાહેર થયં હતું. જેમાં ભાજપના બંને ઉમેદવાર વિદેશમંત્રી એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીત થઈ છે. જુગલજીને 105 તો એસ જયશંકરને 104 મત મળ્યાં હતાં.
જોકે મહત્વની વાત એ છે કે, એસ.જયશંકરને આપેલો ભાજપના મંત્રી આર.સી. ફળદુનો મત ગેરલાયક ઠર્યો છે તેવું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા ચુડાસમા અને ગૌરવ પંડ્યાને 70-70 મત મળતા બંન્નેનો પરાજય થયો હતો.
બંન્ને નેતાઓની જીત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જીતુ વાઘાણી સહિતના નેતાઓએ જીતેલા ઉમેદવારોનું અભિવાદન કર્યું હતું. રાજ્યસભાની ચૂંટણીમાં પરાજય બાદ કોંગ્રેસ કાયદાકીય લડાઈ લડશે. કોંગ્રેસ ચૂંટણી સામે કોર્ટના દ્ધાર ખખડાવશે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી બાદ હાઈકોર્ટમાં જવાનું કહ્યું હતું.
રાજ્યસભાના ચૂંટણીના પરિણામમાં ભાજપના બંને ઉમેદવાર એસ. જયશંકર અને જુગલજી ઠાકોરને 104-105 મત મળ્યા હતા. તો કોંગ્રેસના બંને ઉમેદવારને 70-70 મત મળ્યા હતા. ભાજપમાંથી આર.સી.ફળદુનો મત રદ થયો હતો. તો BTP 2 અને NCPનો એક મત ભાજપને મળ્યો હતો. તો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપને વોટ આપ્યો હતો. જ્યારે અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો મત કોંગ્રેસને મળ્યો હતો.
This post will help the internet people for creating new web site or even a blog from start to end.