અંબાણી પરિવાર બિઝનેસમાં જ નહીં પરંતુ ધાર્મિક કાર્યોમાં પણ આગળ છે. 29 ડિસેમ્બર 2022ના રોજ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ રાધિકા મર્ચેન્ટ સાથે સગાઈ કરી હતી જેની ભાગ્યે જ જોયેલી તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં રાધિકા અને અનંતે શ્રીનાથજી મંદિરના દર્શનની સાથે ‘બ્રાહ્મણોને ભોજન’ કરાવ્યું હતું.
અંબાણી પરિવારે એક ઈન્સ્ટાગ્રામ પેજ પર અનંત અને રાધિકાની સગાઈ અને રોકા સેરેમનીની તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે, કપલ શ્રીનાથજી મંદિરના દર્શન કરવાની સાથે સાથે ‘બ્રહ્મ ભોજન’માં બ્રાહ્મણોને જમવાનું પિરસવાનું અને પ્રસાદ આપતાં જોવા મળી રહ્યાં છે.
એક તસવીરમાં તે મંદિરના પુજારીની સાથે હસતાં જોવા મળી રહ્યાં હતાં. રાધિકા અને અનંતની સાથે મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી અને મંદિરના પુજારી એકસાથે જોવા મળી રહ્યાં છે. જ્યારે બીજી તસવીરોમાં અનંત પંડિત સાથે વાતો કરતો જોવા મળ્યો હતો, મંદિરમાં રાધિકાની સાથે ફરતાં અને બ્રહ્મ ભોજન કરાવતાં જોવા મળી રહ્યાં છે. તે સમયે રાધિકા પિંક અને પીચ કલરના શરારા સેટમાં જોવા મળી હતી જ્યારે અનંતે આ અવસર પર બ્લૂ કલરનો કૂર્તા-પાયજામા પહેર્યો હતો.
આ તસવીરોમાં રાધિકા અને અનંતે શ્રીનાથજી મંદિરના દર્શનની સાથે સાથે બ્રહ્મ ભોજન કરાવતાં જોવા મળ્યા હતાં. રાધિકા બહુ જ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. આ ઉપરાંત કપલ પંડિતના આશિર્વાદ પણ લેતાં જોવા મળ્યા હતાં.
રાધિકા અને અનંત અંબાણીની સગાઈ બહુ જ જલ્દી અને સીમિત લોકોમાં કરવામાં આવી હતી, પરંતુ આ સગાઈમાં તામજામને નજરઅંદાજ કરતાં મંદિરમાં ભગવાનની ભક્તિમાં લીન જોવા મળ્યાં હતાં.
બન્ને બ્રાહ્મણ ભોજન કરાવ્યું જેમાં તેમણે પોતે જમવાનું પીરસ્યું અને આશિલ લીધા હતાં. આ તસવીર સોશિયલ મીડિયામાં આવ્યા બાદ બહુ જ વાયરલ થઈ હતી.
અન્ય તસવીરોમાં અનંતને પંડિત સાથે વાતો કરતો જોવા મળ્યો હતો જ્યારે મંદિરમાં રાધિકા સાથે ફરતાં અને બ્રહ્મ ભોજન કરાવતાં જોવા મળ્યો હતો.