Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalએક જ્યોતિષની ભવિષ્યવાણીને કારણે પ્રેમિકા બની શૈતાન ને પ્રેમીને આ રીતે માર્યો

એક જ્યોતિષની ભવિષ્યવાણીને કારણે પ્રેમિકા બની શૈતાન ને પ્રેમીને આ રીતે માર્યો

એ છોકરી બહુ ભણેલી હતી. તેનાં લગ્ન થવાનાં હતાં. પરંતુ પંડિતે તેની કુંડળી જોઈને કહ્યું કે, લગ્ન બાદ તરત જ પતિનું મૃત્યુ થઈ જશે. તે છોકરી અને તેના ઘરવાળાં પંડિતની વાત પર વિશ્વાસ કરી લે છે. તેઓ આ મુશ્કેલીને હલ કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ એક દિવસે છોકરી એક પ્લાન બનાવે છે કે તેનાં લગ્ન થઈ જાય. પતિ પણ જીવતો રહે અને પંડિતની ભવિષ્યવાણી પણ ખોટી પડે. પરંતુ છોકરીનો આ પ્લાન પણ બહુ ખતરનાક હતો.

સૈરૌન અને ગૃષ્માની કહાની
તિરૂઅનંતપુરમની રહેવાસી એક યુવાન જોડી બહુ ખુશહાલ જીવન જીવી રહી હતી. આ બંને જ્યારે પણ મળતાં, બંને એકબીજા સાથે સારો સમય પસાર કરતાં. સાથે હરતા-ફરતા હતા. ખા-પીતા અને પછી બીજીવાર મળવાના વાયદા સાથે જુદાં થઈ જતાં. આ કહાની છે 24 વર્ષના શૈરોન રાજ અને 23 વર્ષની ગૃષ્માની. આને એક ઈત્તેફાક કહો કે પછી બીજું કઈંક અને શૈરોન રાજ છેલ્લા કેટલાક દિવસોથી જ્યારે પણ તેની ગર્લફ્રેન્ડ એટલે કે ગૃષ્માને મળતો ત્યારે તેને ઉલટીઓ થવા લાગતી હતી. તેની તબીયત બગડી જતી હતી.

ઘરવાળાં એ બાબતે તેમના દીકરા શૈરોન રાજને સવાલો કરતા, પરંતુ શૈરોન તેને બસ એક ઈત્તેફાક સમજીને ટાળી દેતો હતો. એ ઈત્તેફાક જ હતો કે દર વખતે ગૃષ્માને મળ્યા બાદ શૈરોનની તબીયત ખરાબ થતી હતી અને પછી થોડા દિવસો બાદ તેની મેળે જ ઠીક થઈ જતું હતું.

છોકરીનાં લગ્ન માટે ફૌજી ઑફિસર સાથે વાતચીત
ગૃષ્મા ભણવા લખવામાં બહુ તેજ હતી. ઈંગ્લિશ લિટરેચરમાં બીએ કર્યા બાદ ડબલ એમએ કરી રહી હતી અને આખી યૂનિવર્સિટીમાં ફોર્થ રેન્ક લાવી હતી. ઘરવાળાં તેના માટે સંબંધ શોધવા લાગ્યા હતા. આજકાલ એક આર્મી મેન સાથે તેના લગ્નની વાત ચાલતી હતી. બીજી તરફ બૉયફ્રેન્ડ એટલે કે, શૈરોન રાજ સાથે પણ તેનો સંબંધ બહુ સારી રીતે ચાલું જ હતો. શૈરોન તેને ખૂબ પ્રેમ કરતો હતો અને કદાચ ગૃષ્મા પણ તેને બહુ પ્રેમ કરતી હતી. પરંતુ પ્રેમ, લગ્ન માટે સંબંધની શોધ અને જીવનના તડકા-છાંયડા વચ્ચે એકદિઅવસ કહાનીમાં એક ટ્વિસ્ટ આવ્યો.

ગૃષ્માએ પીવડાવ્યો હતો આયુર્વેદિક જ્યૂસ
થયું એવું કે, 15 ઑક્ટોબરના રોજ શૈરોન રાજ ફરી એકવાર તેના એક મિત્ર સાથે ગૃષ્માના ઘરે તેને મળવા ગયો. બંને વચ્ચે મુલાકાત થઈ અને ગૃષ્માએ આજે પણ તેને એક આયુર્વેદિક જ્યૂસ પીવા માટે આપ્યો અને તેની થોડી જ વારમાં શૈરોનની તબિયત બગડવા લાગી. શૈરોન જેવો તેના મિત્ર સાથે ગૃષ્માના ઘરેથી નીકળ્યો, તેને ઉલટીઓ થવા લાગી. તેનો મિત્ર તેને સાચવીને ઘરે લાવ્યો. પરંતુ જ્યારે શૈરોનની તબીયત વધારે બગડવા લાગી તો તેને હોસ્પિટલ લઈ જવો પડ્યો.

હોસ્પિટલ પહોંચ્યો શૈરોન
શૈરોનને તિરૂઅનંતપુરમ મેડિકલ કૉલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ડૉક્ટરોએ તેની તપાસ કરી, તેને દવાઓ આપી અને તેનો બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવ્યો. પરંતુ ઘણીવાર ઉલટીઓ થઈ અને તબિયત બગડવા છતાં તેનો બ્લડ રિપોર્ટ નોર્મલ આવ્યો. ત્યારબાદ તેને રજા આપવામાં આવી. પરંતુ એક દિવસ પસાર થયા બાદ 17 ઑક્ટોબરે ફરીથી શૈરોનની તબિયત બગડી અને ફરીથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

હોસ્પિટલમાં શૈરોનનું મૃત્યુ
આ વખતે શૈરોનનો બ્લડ રિપોર્ટ સામે આવ્યો તો તેના લોહીમાં ઘણાં કૉમ્પ્લિકેશન જોવા મળ્યાં, ધીરે-ધીરે તેનાં બધાં અંગો કામ કરવાનાં બંધ થઈ ગયાં હતાં. તેની સ્થિતિ એટલી ખરાબ થઈ કે ઈન્ટેન્સિવ કેર યૂનિટ એટલે કે આઈસીયૂમાં દાખલ કરવો પડ્યો. પરંતુ ત્યારબાદ પણ ડૉક્ટરના સતત પ્રયત્નો છતાં તેની તબિયત સતત બગડી રહી હતી અને અંતે 25 ઑક્ટોબરે એ થયું, જે નહોંતું થવું જોઈએ. 24 વર્ષના નવયુવાન શૈરોન રાજનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. મલ્ટી ઑર્ગન ફેલ્યોરના કારણે તેને હાર્ટ અટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું.

શૈરોનનાં ઘરવાળાંને ગૃષ્મા પર શક હતો
અચાનક આવેલી આ આફતથી શૈરોનનાં ઘરવાળાં પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો. પરંતુ આ થયું કેવી રીતે? નવયુવાન શૈરોનની તબિયત અચાનક કેવી રીતે બગડી? શું આ ઈત્તેફાક હતો કે પછી તેની પાછળ કોઈ બીજું જ કારણ હતું? કારણકે શૈરોનની તબિયત આ વખતે ગૃષ્માને મળ્યા બાદ જ બગડી હતી, એટલે શૈરોનનાં ઘરવાળાંને એમજ લાગતું હતુંકે, તબિયત બગડવા પાછળ ગૃષ્માનો જ હાથ છે. જોકે મૃત્યુ પહેલાં શૈરોને જ્યારે પોતાનાં ઘરવાળાં સાથે વાત કરી ત્યારે તેની તબિયત બગડવા પાછળ કોઈના પર શક વ્યક્ત નહોંતો કર્યો. ખાસ કરીને તેણે તેની ગર્લફ્રેન્ડ ગૄષ્મા પર જરા પણ શક નહોંતો કર્યો. ગૃષ્મા બાબતે પૂછવામાં આવેલ સવાલોના તેણે જવાબ પણ નહોંતા આપ્યા.

શૈરોનને આપવામાં આવ્યું હતું ઝેર
ચાર દિવસ બાદ 29 ઑક્ટોબરે શૈરોનનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, તો કહાની આખેઆખી પલટાઈ ગઈ. જે શૈરોન અત્યાર સુધી પોતાની તબિયતને બીમારી કહેતો હતો અને ઘરવાળાં સામે પોતાની ગર્લફ્રેન્ડનો બચાવ કરતો હતો, તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટથી એ સ્પષ્ટ થઈ ગયું કે, તેને મૃત્યુ પહેલાં ઝહેર આપવામાં આવ્યું હતું. ઝહેરથી તેની તબિયત તો બગડી જ હતી, સાથે-સાથે તેનાં અંદરનાં અંગોએ કામ કરવાનું પણ બંધ કરી દીધું હતું. અંતે તેને હાર્ટ અટેક આવ્યો અને શૈરોનના પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ઘરવાળાં ચોંકી ગયાં.

ગૃષ્મા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી
સવાલ એ હતો કે, શૈરોનને ઝહેર કોણે આપ્યું? પોસ્ટમૉર્ટમ રિપોર્ટ બાદ શૈરોનનાં ઘરવાળાં પોલિસ સ્ટેશન ગયા અને ગૃષ્મા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. શૈરોનનાં ઘરવાળાનાં કહેવું હતું કે, ગૃષ્મા અને તેનાં ઘરવાળાંએ કાવતરા અંતર્ગત જ તેમના દીકરાને સ્લો પોઈઝન આપી તેનો જીવ લઈ લીધો.

ઘરવાળાંએ જણાવ્યું કે, શૈરોન જ્યારે પણ તેની ગર્લફ્રેન્ડ ગૃષ્માને મળતો ત્યારે તેની તબિયત બગડતી હતી. તેને ઉલટીઓ થવા લાગતી હતી. ઘણીવાર ઘરવાળાં આ બાબતે પૂછતાં પણ હતાં, પરંતુ દર વખતે તે પોતાની બીમારી કે ઈત્તેફાક માનતો અને ગર્લફ્રેન્ડ પર શક કરવાની ના પાડી દેતો હતો.

દર વખતે તબીયત બગડતી હતી શૈરોનની
જોકે ઘરવાળાંએ જણાવ્યું કે, તબિયત બગડતાં પહેલાં શૈરોને ગૄષ્માના હાથે કોઈ આયુર્વેદિક જ્યૂસ પીવાની વાત કહી હતી. ઘરવાળાંનું કહેવું હતું કે, શૈરોન જ્યારે પણ ગૄષ્માને મળતો ત્યારે તેની ગર્લફ્રેન્ડ ગૃષ્મા તેને એક આયુર્વેદિક જ્યૂસ આપતી હતી. ગૄષ્મા એમ કહેતી હતી કે, તેને પીવાથી હાથ-પગમાં દુખાવિ નહીં થાય અને શૈરોનને પીવડાવવાની જિદ કરતી હતી. ગર્લફ્રેન્ડ પર પોતાના કરતાં પણ વધુ વિશ્વાસ કરતો શૈરોન તેને દર વખતે ખુશી-ખુશી પી લેતો હતો.

પરંતુ દર વખત કરતાં આ વખતે જ્યૂસ વધારે જ કડવો હતો. દર વખતે ગૃષ્મા આ જ્યૂસ બાદ મેંગો ડ્રિંક કે બીજું કઈંક પીવા આપતી હતી, જેથી મોંની કડવાશ જતી રહે. પરંતુ સત્ય એ જ હતું કે, જ્યૂસ બાદ શૈરોનને ઉલટીઓ થવા લાગતી હતી અને તેની તબીયત બગડવા લાગતી હતી.

ઘરવાળાંએ જણાવ્યું ગર્લફ્રેન્ડનું કાવતરું
શૈરોનના મૃત્યુ બાદ તેનાં ઘરવાળાં ખુલાસો કરી રહ્યાં છે કે, આ તેની ગર્લફ્રેન્ડ અને તેનાં ઘરવાળાંનું જ કાવતરું હતું, જેના અંતર્ગત તેમના દીકરાને સ્લો પોઈઝન આપીને જીવ લેવા ઈચ્છતા હતા. શૈરોનનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આ તરફ ઈશારો કરી રહ્યો હતો.

બહાર આવ્યું ગર્લફ્રેન્ડનું કાળું સત્ય
હવે સવાલ એ થાય છે કે, ગૃષ્મા આવું કેમ કરતી હતી. એ પણ ત્યારે, જ્યારે બંને એકબીજાને બહુ પ્રેમ કરતાં હતાં. એટલું જ નહીં, મૄત્યુ થયું ત્યાં સુધી પણ શૈરોનને ગૄષ્મા પણ શક નહોંતો. તો પછી ગૃષ્મા તેને કેમ ઝહેર આપતી હતી? તે પોતાના જ બૉયફ્રેન્ડનો જીવ લેવા કેમ ઈચ્છતી હતી? જ્યારે તેની પાછળનું કારણ જાણવા મળ્યું ત્યારે પોલીસની સાથે-સાથે તિરૂઅનંતપુરમના લોકો પણ ચોંકી ગયા.

ગૃષ્માનાં લગ્ન અન્ય જગ્યાએ ઈચ્છતાં હતાં ઘરવાળાં
આ પ્રેમના દુખદ અંતની કહાની સમજવા થોડા સમય પહેલાંની વાતોને સમજવી પડશે. શરૂઆતમાં શૈરોન અને ગૄષ્મા બંને એકબીજાને બહુ પ્રેમ કરતાં હતાં. ઘરવાળાં આ બધુ જાણવા છતાં ગૃષ્માનાં લગ્ન બીજા સાથે કરવા ઈચ્છતાં હતાં અને તેમણે ગૃષ્મા માટે એક એવા છોકરો શોધ્યો, જે આર્મી ઑફિસર હતો.

પતિના મૃત્યુની ભવિષ્યવાણી
પરંતુ કહાનીમાં નવો જ વળાંક આવ્યો. ગૃષ્માનાં પરિવારવાળાં એક જ્યોતિષીના સંપર્કમાં આવ્યાં. ગૃષ્માનાં ઘરવાળાંએ જ્યોતિષીને કુંડળી બતાવી. ગૃષ્માની કુંડળી જોતાં જ જ્યોતિષીએ એક એવી વાત કહી, જે જાણી ગૃષ્માનાં પરિવારવાળાં ડરી ગયાં. જ્યોતિષીનું કહેવું હતું કે, ગૃષ્મા જેની પણ સાથે લગ્ન કરશે, તે છોકરાનું મૃત્યુ થઈ જશે. જોકે આવું માત્ર પહેલાં લગ્નમાં જ થશે, બીજાં લગ્ન એકદમ બરાબર ચાલશે અને બીજા પતિને કઈં નહી થાય.

શૈરોનને મોહરું બનાવી લગ્ન કર્યાં
હવે ગૃષ્મા પણ સારું લગ્નજીવન ઈચ્છતી હતી એટલે તેણે પોતાના સુખી લગ્નજીવન માટે એક મોહરું બનાવવાનું નક્કી કર્યું. આ માટે તેણે શૈરોનને પસંદ કર્યો અને તેને પોતાના પ્રેમમાં ફસાવી એક દિવસ ચોરી-છૂપે તેની સાથે લગ્ન કરી દીધાં. લગ્નમાં બધી રસમો નિભાવવામાં આવી અને વરમાળા પણ પહેરાવવામાં આવી. જ્યોતિષીના કહેવા અનુસાર ગૃષ્માનાં પહેલાં લગ્ન થઈ ગયાં હતાં. હવે તેને પહેલાં લગ્નથી છૂટકારો મેળવી બીજાં લગ્ન આર્મી મેન સાથે કરવાનાં હતાં.

આખા કાવતરાથી અજાણ હતો શૈરોન
શૈરોન આ આખી વાતથી અજાણ હતો અને તે ગૄષ્માને ખૂબ પ્રેમ કરતો હતો. તેને એ વાતની ભનક પણ નહોંતી કે, ગૃષ્મા તેની સાથે કાવતરું કરી રહી છે અને ડ્રામા બાદ તે તેને દૂધમાંથી માખીની જેમ પોતાને જીવનમાંથી કાઢી નાખશે. ગૃષ્મા હવે તેની સાથે બ્રેકઅપ કરવા ઈચ્છતી હતી પરંતુ શૈરોન તૈયાર નહોંતો. ગૃષ્માએ તેને જાતક દોષ વગેરેની કહાનીઓ સંભળાવી અને સંબંધો તોડવાનું કહ્યું, પરંતુ શૈરોને પીછેહટ ન કરી.

સ્લો પોઈઝનિંગવાળું કાવતરું
હવે ગૃષ્માએ સ્લો પોઈઝનિંગવાળું કાવતરું શરૂ કર્યું અને તે જ્યારે શૈરોનને મળતી ત્યારે તંદુરસ્તી માટે આયુર્વેદિક જ્યૂશ પીવડાવતી. જ્યારે પણ શૈરોન આ જ્યૂસ પીતો ત્યારે તેની તબિયત બગડતી હતી અને તેને ઉલટીઓ થતી. પરંતુ શૈરોન તેને ગંભીરતાથી લેતો નહોંતો અને શૈરોન પર શક પણ નહોંતો કરતિ. અને 25 તારીખે ગૃષ્માએ જ્યારે તેને આયુર્વેદિક જ્યૂસમાં મિક્સ ઝહેરનો અંતિમ અને ઘાતક ડોઝ આપ્યો ત્યારે તેને દાખલ કરવો પડ્યો અને ત્યાં પણ મૃત્યુ પહેલાં સુધી પણ તેણે ગર્લફ્રેન્ડ પર શક કરવાની ના પાડી દીધી.

ગૃષ્માએ કબૂલ્યો પોતાનો ગુનો
જ્યારે શૈરોનના મૃત્યુ બાદ તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે તેમાં ઝહેરની વાત નીકળી. ઘરવાળાંએ ફરિયાદ કરી અને પોલીસે ગૄષ્માની પૂછપરછ કરી. પોલીસને પણા ગોળ-ગોળ ફેરવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ પોલીસે જેમ-જેમ પૂરાવા બતાવ્યા તેમ-તેમ ગૃષ્મા તૂટી ગઈ અને તેણે પોતાનો ગુનો કબૂલી દીધો. પોલીસે તેની ધરપકડ કરી. પરંતુ હજી કહાનીમાં ટ્વિસ્ટ બાકી હતો.

પોલીશ સ્ટેશનમાં ગૄષ્માએ સુસાઈડનો પ્રયત્ન કર્યો
કેરળના શૈરોન મર્ડર કેસની તપાસ જેમ-જેમ આગળા વધી રહી હતી તેમ-તેમ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા હતા. આ દરમિયાન ધરપકડ વાદ શૈરોનની ગર્લફ્રેન્ડ ગૃષ્માએ પોલીસ સ્ટેશનમામ જ બાથરૂમ ક્લીનર પીને સુસાઈડનો પ્રયત્ન કર્યો પરંતુ પોલીસ તેને હોસ્પિટલ લઈ ગઈ અને ઈલાજ કરાવ્યો અને હવે તે ખતરાની બહાર છે. પોલીસનું માનવું છે કે, સવાલોથી બચવા માટે તેણે આવું કર્યું હતું, પરંતુ તેની આખી પોલ ખુલી ગઈ છે.

ગૄષ્માને સતાવતો હતો ડર
આ કહાનીમાં એવી પણ ઘણી વાતો હતી જેને જાણવી બહુ જરૂરી હતી. પૂછપરછમાં ગૃષ્માએ પોલીસને જણાવ્યું કે, હવે તે શૈરોન સાથે સંબંધો તોડવા ઈચ્છતી હતી પરંતુ શૈરોન તૈયાર નહોતો. વાસ્તવમાં શૈરોનના ફોનમાં બંનેના ઘણા પર્સનલ ફોટો અને વીડિયોઝ હતા જે ડિલીટ કરવાથી પણ શૈરોને ના પાડી હતી. એટલે ગૃષ્માને બીક હતી કે, શૈરોન આ બધુ તેના થનાર પતિને આપી દેશે એટલે તેણે શૈરોનનો જીવ લેવાનું નક્કી કર્યું.

વીડિયોમાં લગ્નનાં કપડાંમાં જોવા મળ્યાં બંને
આ દરમિયાન પોલીસ તપાસમાં શૈરોન અને ગૄષ્માનાં લગ્નનો વીડિયો પણ આવ્યો. જેમાં બંને લગ્નનાં કપડાંમાં હતાં, આ તસવોરો શૈરોન કે ગૃષ્માના ઘરની નહોંતી. તેમણે આ લગ્ન ચોરીછૂપે કર્યાં હતાં. અત્યાર સુધીના પૂરાવામાં એ સાબિત થયું કે, ગૃષ્મા શૈરોનનો ઉપયોગ મોહરા તરીકે કરીને તેની સાથે પહેલાં લગ્ન કરવા ઈચ્છતી હતી જેથી જ્યોતિષીની ભવિષ્યવાણી અનુસાર પહેલા પતિ શૈરોનનું મૃત્યુ થઈ જાય અને તે તેના બીજા પતિ સાથે સુખી જીવન જીવી શકે.

શૈરોનને ધીમા ઝહેરથી મારવા ઈચ્છતી હતી ગૃષ્મા
પોલીસની અત્યાર સુધીની તપાસમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે, ગૃષ્મા શૈરોનને જ્યૂસમાં ખેતીમાં કામ આવતાં પેસ્ટિસાઈડ્સ એટલે કે કિટાણુ નાશક ઝહેર તરીકે આપતી હતી. તે શૈરોનને ધીરે-ધીરે ઝહેર આપીને મારવા ઈચ્છતી હતી, જેથી કોઈને ખબર ન પડે. પરંતુ જ્યાં આખો રાઝ ખુલી ગયો છે ત્યાં પોલીસ તેનાં ઘરવાળાંની ભૂમિકા તપાસી રહી છે.

આ ઘટનાથી આખુ કેરળ અત્યારે સુન્ન રહી ગયું છે. લોકો એ વિચારીને આશ્ચર્યમાં છે કે, એક ભણેલી ગણેલી છોકરી અને તેનો પરિવાર જ્યોતિષની વાતમાં આવી કઈ હદ સુધી જઈ શકે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page