દેહરાદુનમાં એક કિશોરીએ પોતાના નવા પ્રેમીની સાથે મળીને જૂના પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો હતો અને તેનો મૃતદેહ રાયપુર વિસ્તારના જંગલ વિસ્તારમાં દફનાવી દીધો હતો. યુવક 16 માર્ચથી લાપતા હતો. કિશોરીની પણ 20 માર્ચે ડાલનવાલામાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પહેલા પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યા બાદ કિશોરી પોતાના પ્રેમીની સાથે દિલ્હી અને આસામમાં રહેવા લાગી હતી. રવિવારે જ્યારે તે પરત આવી તો પોતાની બહેનને ઘટનાની કહાની કહી હતી. પોલીસે મૃતદેહ કબજે કરીને કિશોરીની ધરપકડ કરી હતી ત્યાર બાદ આરોપી યુવકની પણ ધરપકડ કરી હતી. સોમવારે બન્નેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતાં. રાયપુર પોલીસના જણાવ્યા પ્રમાણે, 20 માર્ચે પોલીસ સ્ટેશનાં એક 17 વર્ષની કિશોરી ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કિશોરીની શોધવા માટે બે ટીમોની રચના કરી હતી અને સહારનપુર, દિલ્હી સહિતની જગ્યાઓ પર તેની શોધખોળ કરી હતી. લગભગ 37 સીસીટીવી કેમેરા ફૂટેજમાં પણ ચેક કર્યું હતું.
પ્રાથમિક તપાસમાં જાણકારી મળી હતી કે કિશોરી ડાલનવાલા વિસ્તારના કોઈ આકાશ નામના યુવક સાથે પ્રેમ કરતી હતી. પોલીસ આકાશના ઘરે પહોંચી તો ખબર પડી કે આકાશ પણ તે જ દિવસથી ગૂમ છે.
રવિવારે કિશોરી પોતાના ઘરે પહોંચી. પોલીસને જાણકારી મળી તો બાળ કલ્યાણ સમિતીની ટીમને લઈને પોલીસ તેના ઘરે પહોંચી હતી. જ્યાં ખબર પડી કે કિશોરીએ પોતાની બહેનને જણાવ્યું હતું કે, તેણે આકાશની સાથે મળીને નરેન્દ્ર ઉર્ફે બંટીની હત્યા કરી નાખી છે.
તે સમયે ઘરમાં આકાશ પણ હાજર હતો. પોલીસે આકાશની ધરપકડ કરી હતી અને કિશોરીને બાળ કલ્યાણ સમિતીને સોંપી દીધી હતી. પૂછપરછ કરવા પર આકાશે કહ્યું કે, તેણે નરેન્દ્ર ઉર્ફે બંટીનું પટ્ટાથી ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યો હતો.
ત્યાર બાદ મૃતદેહને આમવાલા તરલાના જંગલમાં ખાડો ખોદીને પુરી દીધો હતો. પૂછપરછમાં એ પણ જાણવા મળ્યું કે. 16 માર્ચે નરેન્દ્રની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ બન્ને બસથી હરિદ્વાર પછી દિલ્હી અને આસામ જતાં રહ્યા હતાં.
તે બન્ને ખબર પડી કે આ ઘટના અંગે કોઈને ખબર નથી તો બન્ને પરત દેહરાદુન પહોંચ્યા હતાં. એસઓ રાપુર અમરજીત સિંહે જણાવ્યું કે, બન્ને હાજરીમાં જ મૃતદેહને શોધ્યો હતો કિશોરી અને હત્યારાને સોમવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતાં.
પૂછપરછમાં જાણવા મળ્યું કે, કિશોરી અને નરેન્દ્ર ઉર્ફ બંટી એક બીજાને પ્રેમ કરતાં હતાં. તેને આ પ્રેમ લગભગ ચાર વર્ષથી ચાલતો હતો. બંટી પેઈન્ટિંગનું કામ કરતી હતી જ્યારે કિશોરી પોતાની બહેનની સાથે રહેતી હતી. તેની બહેન પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. જાન્યુઆરીમાં બન્ને કોઈ વાતને લઈને અલગ થઈ ગઈ હતી. તે સમયે કિશોરી આકાશના સંપર્કમાં આવી હતી. આકાશ અને કિશોરીની ઓળખાણ ફેસબુક પર થઈ હતી.
બન્નેએ પૂછપરછમાં જણાવ્યું કે, ફેબ્રુઆરીમાં નરેન્દ્ર ફરીથી કિશોરીના સંપર્કમાં આવ્યો હતો. તેણે ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા મારફતે તેને બદનામ કરવાનું શરૂ કરી દીધું હતું. જેનાથી તે પોતાના વિસ્તારમાં બદનામ થઈ રહી હતી. આ બદનામીનાો બદલો લેવા માટે તેણે બંટીની હત્યા કરી નાખી હતી.