પવિત્ર ધામ અયોધ્યામાં ‘રામ કી પેડી’ પર સ્નાન કરતાં સમયે પતિએ પત્નીને કિસ કરી દીધી હતી. આ જોઈને ત્યાં હાજર રહેલા લોકોએ વિરોધ પ્રગટ કર્યો હતો અને કહ્યું હતું કે આવી હરકતો અહીંયા ચાલશે નહીં. આટલું જ નહી લોકોએ પતિને પાણીમાંથી બહાર લાવીને માર માર્યો હતો.
લોકો તમાશો જોતાં રહ્યાઃ 30 વર્ષીય ઉંમરની વ્યક્તિને 2-3 લોકોએ 20 મિનિટ સુધી માર માર્યો હતો. તેના ચહેરા, ખભા તથા પીઠ પર ઈજા થઈ છે. આ દરમિયાન પત્ની પતિને છોડાવવા માટે આજીજી કરતી હતી. કોઈએ તેની વાત સાંભળી નહોતી અને અન્ય લોકો વીડિયો બનાવવામાં વ્યસ્ત હતા.
આસપાસ પરિવારના લોકો સ્નાન કરતા હતાઃ લોકોને એ વાતનો ગુસ્સો હતો કે જ્યારે પતિએ પત્નીને કિસ કરી ત્યારે અન્ય પોત-પોતાના પરિવાર સાથે સ્નાન કરતા હતા. લોકોએ આપત્તિ દર્શાવીને પબ્લિક પ્લેસ પર આ રીતની અભદ્રતા કરવાની ના પાડી હતી. માહિતી મળતા જ લક્ષ્મણઘાટ પોલીસ સ્ટેશનના કર્મીઓ આવ્યા હતા, પરંતુ તેમણે કંઈ જ કહ્યું નહોતું.
સંતોએ નારાજગી પ્રગટ કરીઃ શ્રીરામવલ્લભાકુંજના પ્રમુખ સ્વામી રાજકુમાર દાસે કહ્યું હતું કે પબ્લિક પ્લેસ પર આ રીતની અભદ્રતા યોગ્ય નથી. તીર્થ સ્થળો પર ધર્મ તથા મર્યાદાનું પાલન કરવું જોઈએ. જોઈ કોઈ તીર્થસ્થળો પર આવું કરે છે તો સમાજના લોકોમાં ખોટો સંદેશો જશે.
હનુમત નિવાસના મહંત ડૉ મિથિલેશે કહ્યું હતું કે અયોધ્યાના સરયૂ કિનારે તથા રામ કી પૈડીને ચોપાટી બનાવવી તે નિર્ણય ખોટો છે. અહીંયા કિસ કરવી અયોગ્ય છે. લોકોએ માર મારીને સારું કર્યું. આ અંગે આંદોલન ચલાવવામાં આવશે. આ રીતનું આચરણ તંત્ર રોકી શક્યું નહીં અને સંતો આ અંગે જલ્દીથી તંત્ર સાથે વાત કરશે.