ધંધૂકામાં માલધારી સમાજના યુવક કિશન ભરવાડની હત્યા બાદ અજંપાભરી સ્થિતિ છે. આખું ધંધૂકા શહેર ગઈ કાલે સંજ્જડ બંધ રહ્યું હતું. આજે બોટાદ અને રાણપુરમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા છે. દરમિયાન આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માલધારી પરિવારની મુલાકાત લીધી હતી. આ સમયે ખૂબ ભાવુક દૃશ્યો સર્જાયા હતા.
આજે ખુદ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મૃતક યુવકની પ્રાર્થના સભામાં હાજરી આપવા ધંધૂકા આવ્યા હતા. તેમણે પહેલાં મૃતકના પરિવારજનોએ સાથે વાત કરી હતી. બાદમાં મૃતક યુવાન કિશન ભરવાડની માત્ર 20 દિવસની હાથમાં લીધી હતી. આ સમયે હર્ષ સંઘવી ભાવુક થઈ ગયા હતા. એટલું જ નહીં પ્રાર્થના સભામાં હાજર સૌ કોઈ રડી પડ્યા હરતા. હર્ષ સંઘવીએ કિશન ભરવાડના પરિવારની મહિલાઓ સાથે પણ વાત કરીને ખાતરી આપી હતી કે તેમને ઝડપથી ન્યાય આપવામાં આવશે.
બોટાદ અને રાણપુરમાં ધંધૂકામાં કિશન ભરવાડની હત્યાની ઘટનાના પડઘા પડ્યા છે. જેમાં આજે બોટાદ અને રાણપુરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાણપુરના વેપારીઓએ પણ સ્વૈચ્છિક બંધ પાળીને વિરોધ નોંધાવ્ઓ હતો. આજે રાણપુરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં હર્ષ સંઘવી પોતે મૃતક યુવકના પરિવારજનોને મળ્યા છે. તેમણે મૃતક કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા પણ ચચણા ગામે પહોંચ્યા હતાં. હર્ષ સંઘવીએ મૃતકનાં પરિવારજનો સાથે વાતચીત કરી હતી. પૂર્વ સાંસદ શંભુપ્રસાદ ટૂંડિયા અને VHPના ગુજરાતના અધ્યક્ષ રણછોડ ભરવાડ પણ પહોંચ્યા છે. આ દરમિયાન હર્ષ સંઘવીએ મૃતકનાં પરિવારજનો અને સમાજના આગેવાનો સાથે બંધબારણે બેઠક કરી હતી અને આશ્વાન આપ્યું હતું.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ સહિતના અનેક આગેવાનો મૃતક કિશન ભરવાડનાં પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. સમાજના આગેવાનો અને પરિવારજનોએ સાથે મુલાકાત કરી હતી અને મીટિંગ કરી હતી. મૃતક યુવાન કિશને એક સમાજ માટે નહીં પરંતુ હિન્દુ ધર્મ માટે બલિદાન આપ્યું છે. તેમનું બલિદાન એળે નહીં જાય એ માટે યુવાન અમર રહે એવા નારા લાગ્યા હતાં. ધંધૂકામાં એક માર્ગ કિશનના નામે બનાવવામાં આવે, તેનું સ્ટેચ્યૂ બનાવવામાં આવે એવી પણ માગ કરવામાં આવી છે.