સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશના એક IAS ઓફિસર રોડ પર શાકભાજી વેચતા હોય તેવો ફોટો વાઇરલ થયો છે. એવામાં દરેકને આ અંગે હકીકત જાણવામાં રસ છે. ફોટો વાઇરલ થયાની માહિતી ખુદ IAS અધિકારી અખિલેશ મિશ્રાએ આપી છે.
તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ‘‘હું કાલે સરકારી કામથી પ્રયાગરાજ ગયો હતો. પાછા આવતી વખતે એક સ્થળ પર શાકભાજી જોવા માટે ઊભો રહી ગયો હતો. શાકભાજી વેચનારા એક વૃદ્ધા હતાં. જેમને તેમને મને કહ્યું કે, મારા શાકભાજીનું થોડિકવાર તમે ધ્યાન આપો હું થોડિકવારમાં આવું છું. સંભવતઃ તેમનો બાળક દૂર જતું રહ્યું હશે. હું તેમની દુકાન પર બેસી ગયો. આ દરમિયાન ઘણાં ગ્રાહક આવ્યા અને થોડિકવાર પછી શાકભાજી વેચનારા વૃદ્ધા આવ્યા હતાં.’’
‘‘આ દરમિયાન મારા એક ફ્રેન્ડે ફોટો ક્લિક કર્યો અને મારા ફોનથી ફેસબુક પર અપલોડ કરી દીધો હતો. જે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જ્યારે મને આ ફોટો વાઇરલ થવાની માહિતી મળી ત્યારે મેં તેને તરત જ હટાવી દીધો હતો.’’ ઉલ્લેખનીય છે કે, અખિલેશ મિશ્રા ટ્રાન્સપોર્ટ વિભાગમાં વિશેષ સચિવના પદ પર કાર્યરત છે.
હાલ આ તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છેે. આ તસવીરો જોયા બાદ લોકોએ લાઈક અને કમેન્ટ્સ પણ કરી હતી.
IAS અખિલેશ મિશ્રાએ કેટલાક ગ્રાહકોને શાકભાજી આપ્યા હતાં. આ દરમિયાન તેઓ ઘણું એન્જોય કરી રહ્યાં હતાં. શાકભાજીની દુકાન પર IAS અખિલેશ મિશ્રા.