Friday, April 12, 2024
Google search engine
HomeRecipeમોળાક્તમાં બનાવો તાજા નારિયેળની બરફી, મિનિટોમાં થઈ જશે તૈયાર

મોળાક્તમાં બનાવો તાજા નારિયેળની બરફી, મિનિટોમાં થઈ જશે તૈયાર

અમદાવાદઃ હાલમાં ગૌરી વ્રત ચાલી રહ્યાં છે અને પછી જયા પાર્વતી પણ શરૂ થશે. ઉપવાસમાં શું ખાવું તેને લઈને મૂંઝવણ અનુભવતી મમ્મીઓ માટે અમે લાવ્યા છીએ તાજા નાળિયેરની બરફી. ફ્રેશ નારિયેળનું છીણ કરીને તમે કન્ડેસ્ડ મિલ્ક તથા ડ્રાયફ્રૂટ્સ નાખીને બરફી બનાવી શકો છો. આ બરફી થોડીક જ મિનિટ્સમાં બની જશે.

સામ્રગીઃ
2 તાજા નાળિયેર (છોતરા કાઢેલું)
1 કપ કન્ડેસ્ડ મિલ્ક
10-12 નંગ પિસ્તા
1 નાની ચમચી એલચી પાવડર
2-3 મોટી ચમચી ઘી

રીતઃ
1. કાચલી કાઢીને તેમાંથી નાળિયેર કાઢો અને ઝીણું સમારો.
2. મિક્સરમાં સહેજ અધકચરું પીસી લો. ધ્યાનમાં રાખો કે વધુ બારીક ના થઈ જાય.
3. કઢાઈમાં બે ચમચી તેલ નાખીને મધ્યમ આંચ પર મૂકો. ત્યારબાદ 2 કપ ભરીને નાળિયેર નાખો. નાળિયેરને સતત હલાવતો રહો અને સહેજ શેકી લો.
4. પાંચ મિનિટ બાદ તેમાં કન્ડેન્સ મિલ્ક નાખીને સતત હલાવતા રહો.
5. મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી હલાવતો રહો. ત્યારબાદ તેમાં એલચી પાવડર નાખીને ગેસ બંધ કરો.
6. હવે, એક થાળીમાં ઘી લગાવીને મિશ્રણ તેમાં પાથરો.
7. મિશ્રણ સારી રીતે થાળીમાં ફેલાવી દો, પીસ પાડીને રાખો. ત્યારબાદ ઉપર પિસ્તા ભભરાવો.
8. બરફી એકદમ ઠંડી થાય એટલે કાપીને પીસ કરીને ભરી દો.
9. જો બરફીના પીસ ના પડતાં હોય તો પ્લેટને ગેસ પર 5-10 સેકન્ડ્સ ગરમ કરો તો તરત જ પીસ નીકળશે.
10. તૈયાર છે તાજા નાળિયેરની બરફી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page