Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalગૌમૂત્ર-ગાયના છાણથી સ્નાન કરીને મુસ્લિમ વ્યક્તિ હિન્દુ બની, જુઓ તસવીરો

ગૌમૂત્ર-ગાયના છાણથી સ્નાન કરીને મુસ્લિમ વ્યક્તિ હિન્દુ બની, જુઓ તસવીરો

એક વ્યક્તિએ મુસ્લિમ ધર્મ છોડીને હિન્દુ ધર્મ અપનાવ્યો છે. હવે શેખ ઝફર શેખ પિતા ગુલામ મોઇનુદ્દીન શેખ હવે ચેતન સિંહ રાજપૂત તરીકે ઓળખાશે. તેમની પત્ની પહેલેથી જ હિન્દુ ધર્મમાંથી છે. શુક્રવારે તેમણે ભગવાન પશુપતિનાથ મંદિરના આંગણે ધર્મ પરિવર્તન કર્યો હતો. 46 વર્ષીય શેખનું મહામંડલેશ્વર સ્વામી ચિદમ્બરાનંદ સરસ્વતી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-હવન કરીને હિન્દુ ધર્મની દીક્ષા આપી હતી. આ દરમિયાન તેમને ગાયનું છાણ અને ગૌમૂત્રથી સ્નાન પણ કરાવવામાં આવ્યું હતું.

મધ્યપ્રદેશનાં મંદસૌરનો આ બનાવ છે. હિન્દુ ધર્મ અપનાવ્યા બાદ ચેતન સિંહે કહ્યું કે આ ઘર વાપસી છે. બાળપણથી જ મારો ઝુકાવ હિન્દુ ધર્મ તરફ હતો, તેથી જ મેં હિન્દુ ધર્મની છોકરી સાથે લગ્ન કર્યા હતા. અત્યારસુધી હું મારી જાતને અધૂરો અનુભવતો હતો, પરંતુ હવે હિન્દુ ધર્મ અપનાવ્યા બાદ હું સંપૂર્ણ રીતે હિન્દુ બની ગયો છું. આનાથી મને શાંતિનો અનુભવ થાય છે. આ પ્રસંગે સાંસદ સુધીર ગુપ્તા અને ધારાસભ્ય યશપાલ સિંહ સિસોદિયા પણ મંદિરે પહોંચ્યા હતા અને ઘર વાપસી પર તેમને શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન ધારાસભ્ય સિસોદિયા મંદિરમાં જ રહ્યા હતા.

તમે આજે ધર્મપરિવર્તન કર્યું, તેનું કારણ શું છે? જેના જવાબમાં ચેતન સિંહે કહ્યું કે ઘરે પાછો ફર્યો છું, પરિવર્તનનો સવાલ જ નથી. સમગ્ર બ્રહ્માંડના તમામ લોકો સનાતની છે, જે કન્વર્ટ થઈને આમ-તેમ થઈ ગયા છે. જેઓ અહીં અને ત્યાં ભટકી રહ્યા છે, તેઓ હિંમત બતાવે અને તેમના મૂળ શાશ્વત જીવનમાં પાછા ફરે, કારણ કે અહીં જ શાંતિ મળશે.

તેમણે કહ્યું કે હું શરૂઆતથી જ સનાતન ધર્મનું પાલન કરું છું. મારા ઘરમાં મંદિર છે, પરિવારમાં ક્યારેય કોઈએ વિરોધ નથી કર્યો. કોઈપણ કટ્ટર વિચારવાળા નથી. મેં હિન્દુ છોકરી શારદા સાથે પ્રેમલગ્ન કર્યા, કારણ કે હું સનાતન ધર્મને માનું છું. જો મેં મુસ્લિમ છોકરી સાથે લગ્ન કર્યા હોય તો તે મને પૂજા કરવા દેત નહીં. આવી સ્થિતિમાં તેને અને મને પણ મુશ્કેલી પડત, એથી જ મેં બધું વિચારીને જ કર્યું છે.

ચેતન સિંહેએ કહ્યું કે જેઓ મુસ્લિમ છે તેમના પૂર્વજ રાજપૂત હતા, માટે તેની પસંદગી કરવામાં આવી છે. ક્યાંક હું મારી જાતને અધૂરો માની રહ્યો હતો, હું એક જગ્યાએ વસવા માટે અસમર્થ હતો, આજે હું પૂર્ણ થયો છું. હવે ધર્મપરિવર્તન પછી હું સંપૂર્ણ હિંદુ છું અને પરમ શિવભક્ત પણ છું.

મુસ્લિમ સમાજમાંથી વિરોધનો અવાજ ઊઠશે તો તમે શું કરશો? જેના જવાબમાં ચેતન સિંહે કહ્યું કે દેશના બંધારણ મુજબ દરેક વ્યક્તિ પોતાની મરજીથી કોઈપણ ધર્મમાં આસ્થા રાખી શકે છે. એનાથી કોઈને પણ કોઈ સમસ્યા ન થવી જોઈએ અને જો થાય તો એ કટ્ટરતા છે. જેઓ કટ્ટરપંથી છે તેઓ વિરોધ કરશે. જેઓ સમજદાર છે તેઓ વિરોધ નહીં કરે. જો તેઓ વિરોધ કરે તો એ ખોટું છે, આ તો આસ્થાની વાત છે.

તેઓ શરૂઆતથી જ શિવભક્ત હતાઃ ધારાસભ્ય
પંચાયતી અખાડા મહાનિર્વાણીના મહામંડલેશ્વર સ્વામી ચિદમ્બરાનંદ સરસ્વતીએ કહ્યું- આજે તેમને તેમની ઈચ્છા મુજબ નવું નામ આપવામાં આવ્યું છે. તેઓ ઘરે પરત ફર્યા છે. તમામ વિધિ-વિધાન સાથે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ધારાસભ્ય યશપાલ સિંહ સિસોદિયાએ કહ્યું- તેઓ શરૂઆતથી જ ભગવાન શિવના ભક્ત છે. ગઈકાલ સુધી તેઓ ઝફર શેખ હતા, હવે તેઓ ચેતન તરીકે ઓળખાશે. નામની સાથે સંસ્કૃતિ અને વિચારોમાં પરિવર્તન આવ્યું છે. તેમણે એક નવી શરૂઆત કરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page