મધ્યપ્રદેશના મુરૈના ગામમાં એક બાબા સમાધિ લેતા હતાં. બાબાના ભક્તોએ તમામ તૈયારી પણ કરી લીધી હતી. સમાધિ માટે 7 ફૂટનો ખાડો પણ ખોદાવ્યો હતો. જેવી બાબાને સૂવડાવ્યા કે, પોલીસને જાણ કરી દેવામાં આવી. પોલીસે આવીને બાબાને ખાડામાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરાવી દીધા હતાં. બાબાનું કહેવું છે તેમની ઉંમર 100 વર્ષ થઈ ગઈ છે. હવે સમાધિ લેવા માંગે છે.
આ ઘટના તુસ્સીપુરાના કૈથોદા ગામની છે. અહીં રામસિંહ ઉર્ફે પપ્પડ બાબા રહે છે. ગામમાં બાબાનો દુર્ગાદાસ આશ્રમ પણ છે. ગામલોકો અને આસપાસના બીજા ગામના લોકો તેમના શિષ્ય છે. ગામવાળા સામે બાબાએ સમાધિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બાબાએ કહ્યું તે 100 વર્ષના થઈ ગયા છે. સંત હોવાને લીધે સમાધિ લેવા માંગે છે. પહેલાં લોકોનું મન થયું પણ બાબાની જીદ આગળ ઝૂકવું પડ્યું હતું. શ્રદ્ધાળુઓને સમાધિ લેવા માટે વ્યવસ્થા કરી દીધી હતી.
ગામમાં જ તેમના આશ્રમમાં સમાધિ માટે 7 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યા છે. સમાધિ પહેલાં તેમની પૂજા કરવામાં આવી હતી. તેમને જળ અને દૂધથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. સેંકડોની સંખ્યામાં લોકો ત્યાં પહોંચી ગયા હતાં. લોકો બાબાના દર્શન કરી રહ્યા હતાં. તે દરમિયાન ગામના કેટલાક લોકોએ પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસ તરત ઘટના સ્થળે દોડી આવી હતી. બાબાને સમાધિમાંથી બહાર કાઢી તેમને જિલ્લા હોસ્પિટલમાં મોકલી દીધા હતાં.
બે છોકરા અને પૌત્ર છે
બાબા રામસિંહ ઉર્ફે પપ્પડ બાબાને બે દીકરા છે. જેમાં એક માનસિક રીતે અશક્ત છે. એક વહુ છે અને બે પૌત્ર છે. આ ઉપરાંત તે ઘરેથી અલગ-અલગ આશ્રમમાં રહે છે.
ગામ લોકોએ સમજાવ્યા
પોલીસનું કહેવું છે કે, જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે ગામ લોકો બાબાને સમજાવતા હતા કે, સમાધિ લેવામાં ફાયદો નથી. આ ખોટું છે પણ બાબા માનતા નહોતાં. બાબાને જબરદસ્તી સમાધિના ખાડામાંથી ઉઠાવ્યા અને હોસ્પિટલમાં લઈ ગયાં હતાં.
હું દુખી છું, સમાધિમાંથી કેમ ઉઠાવ્યો
રામસિંહ ઉર્ફે પપ્પડ બાબાનું કહેવું છે કે, મારી ઉંમર 100 વર્ષ કરતાં વધુ થઈ ગઈ છે. અમે સમાધિ લેવા માંગીએ છીએ. પણ ગામના લોકોને જે લોકો મને પસંદ કરતાં નથી તેમને આ ઘટના બગાડી દીધી છે. પોલીસને બોલાવીને હોસ્પિટલ મોકલાવી દીધા. આ વાતથી હું દુખી છું. સિવિલ લાઇનના પ્રભારી વિનય યાદવ મુજબ ગામ લોકો બાબાને સમજાવી રહ્યા હતા કે સમાધિ ના લેશો. પણ બાબા માન્યા નહીં. કહી રહ્યા હતાં કે, અમારી ઉંમર પૂરી થઈ જવાની છે. તે પછી તેમને હોસ્પિટલમાં મોકલાવી દીધા છે.