નવી દિલ્હી: ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ વર્લ્ડ કપમાં ભારતની સફર પૂર્ણ થઈ ગઈ છે. સેમીફાઈનલ માટે ટીમ ઈન્ડિયા માનચેસ્ટર હોટલમાં રોકાઈ હતી જેને મેચ બાદ તેમણે છોડી દીધી હતી. ન્યુઝીલેન્ડ ટીમના હાથે 18 રનની હાર બાદ કેપ્ટન વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા શર્મા માનચેસ્ટર હોટલમાંથી ચેક-આઉટ કરતાં જોવા મળી હતી.
કોહલી અને અનુષ્કા હોટલની બહાર આવતાં જ બ્રિટિશ પ્રશંસકોએ તેમને ઘેરી લીધા હતા અને તેમની સાથે સેલ્ફી ખેંચાવતાં અને હાથ મીલાવી રહ્યા હતાં.
સેમીફાઈનલમાં હારીને ટૂર્નામેન્ટથી બહાર થવાની નિરાશા કોહલી પર સ્પષ્ટ જોવા મળી રહી હતી. હોટલમાંથી બહાર આવતી વખતે કોહલીનો ચહેરો ઉદાસ જોવા મળી રહ્યો હતો.
આ ટૂર્નામેન્ટમાં દરેક મેચમાં કોહલીની બેટિંગ સારી રહી હતી જેના કારણે ઈંગ્લેન્ડના લોકો તેના પ્રશંસક થઈ ગયા હતા. જોકે સેમીફાઇનલમાં કોહલી માત્ર એક રન જ કરી શક્યો હતો.
માનચેસ્ટરમાં હોટલ છોડતી વખતે રોહિત શર્માના ચહેરા પર નિરાશા જોવા મળી રહી હતી.
કેદાર જાધવે જ્યારે હોટલ છોડી ત્યારે બ્રિટિશ પ્રશંસકે તેની સાથે હાથ મિલાવ્યો હતો.
વિજય શંકરના સ્થાને ટીમ ઈન્ડિયામાં સામેલ થનારો મયંક અગ્રવાલ હોટલમાંથી બહાર આવતો જોવા મળ્યો હતો.