Saturday, April 13, 2024
Google search engine
HomeFeature Rightલગ્નના એક દિવસ બાદ પત્ની ચાલી ગઈ પિયર, પતિએ એવું પગલું ભર્યું...

લગ્નના એક દિવસ બાદ પત્ની ચાલી ગઈ પિયર, પતિએ એવું પગલું ભર્યું કે જોનારાની આંખો ફાટી રહી ગઈ

હાલ ચારેતરફ કોરોનાનો કહેર છે. જેની અસર લગ્નની સિઝન પર પણ થઈ છે. સોશ્યલ મીડિયા પર એક અનોખા લગ્ન ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. આ લગ્ન આમ તો ત્રણ વર્ષ જૂના છે. આ લગ્નની ખાસિયત એ છે કે પત્ની કોઈ અન્ય યુવકને પ્રેમ કરતી હોવાનું ધ્યાનમાં આવતાં પતિએ ખુદ પત્નીના તેના પ્રેમી સાથે ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા.

ઉત્તર પ્રદેશના કાનપુરમાં સનિગવા વિસ્તારમાં મે-2018માં આ અનોખા લગ્ન થયાં હતાં. પત્નીના પ્રેમી વિશે જાણ થયાં પછી પતિએ ધૂમધામથી બંનેના લગ્ન કરાવી દીધા. આ અનોખા લગ્નમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યાં હતાં.

કાનપુરના સનિગવા ગામમાં રહેતાં સુજીત ઉર્ફે ગોલૂના લગ્ન 19 ફેબ્રુઆરી 2018ના રોજ શ્યામ નગરની શાંતિ સાથે થયાં હતાં. લગ્નના 1 દિવસ પછી ગોલૂની પત્ની પિયર ગઈ હતી. ગોલૂ જ્યારે પણ તેને પાછી સાસરીમાં બોલાવતો ત્યારે તે ગમે તે બહાનું કાઢતી હતી. શાંતિ આ મહિને ગોલૂ પાસે રહેવા માટે આવી હતી. તે ફોન પર ઘણીવાર કોઈ યુવક સાથે વાત કરતી હતી. જેનાથી તેનો પતિ અજાણ હતો પણ, શાંતિને ખૂબ જ પસંદ હતો. ગોલૂના મનમાં ઘણીવાર એવો ખ્યાલ આવતો હતો કે, હિંસક બનીને તે બંનેને મારી નાખે નહીં, પણ આવું કંઈ થયું નહીં. પત્નીની બેવફાઇની ગોલૂએ કેટલાક લોકોની સલાહ લીધી હતી.

ત્યાર બાદ સુજીત ઉર્ફે ગોલુએ પોતાની પત્ની શાંતિ અને તેના પ્રેમી રવિ યાદવના ઘૂમધામથી લગ્ન કરાવી દીધા. આ લગ્નની ખાસ વાત હતી કે, પત્નીના લગ્નમાં સુજીત તરફથી કોઈ પણ પ્રકારની કમી રાખવામાં આવી નહોતી. લગ્નને યાદગાર બનાવવા માટે ગોલૂએ દરેક વ્યવસ્થા કરી હતી જે દરેક છોકરીના લગ્નમાં જોવા મળે છે.

પત્નીના આ લગ્નના કિસ્સાના સાક્ષી બનવા માટે ગામના જ નહીં પણ આસપાસના વિસ્તારના લોકો પણ સામેલ થયાં હતાં. લગ્નમાં ઢોલ-નગારાના તાલે લોકો નાચ્યા પણ હતાં. પત્નીને વાયદો કરતી વખતે પતિની આંખોમાં એખ વિચિત્ર ખુશી અને ગમનો સંગમ પણ જોવા મળી રહ્યો હતો.

શાંતિ અને રવિની લવસ્ટોરીની પણ રસપ્રદ છે. લખનઉના ગોસાઇગંજના નિવાસી રવિ યાદવ અને કાનપુરની શાંતિની પ્રેમ કહાની આજથી ત્રણ વર્ષ પહેલાં એક મિસકોલથી શરૂ થઈ હતી. ધીરે-ધીરે બંને એક બીજાને પ્રેમ કરવા લાગ્યા અને વાત લગ્ન સુધી પહોંચી ગઈ, પણ બંનેના નસીબને કંઈક અલગ જ મંજૂર હતું. વર્ષ 2018માં ફેબ્રુઆરી મહિનામાં શાંતિના બીજા લગ્ન કાનપુરનાં જ સનિગવા નિવાસી ગોલૂ ઉર્ફે સુજીત સાથે થયાં હતાં.

લગ્નના આગલા દિવસે શાંતિએ પોતાના ઘરવાળાને કહ્યું હતું કે, તે રવિને પ્રેમ કરે છે અને તેની સાથે જ લગ્ન કરશે. સુજીત સાથે લગ્ન કરી તે ખુશ રહેશે નહીં, પણ ઘરવાળાએ તેની વાત માની નહીં અને તેના જબરદસ્તી સુજીત સાથે લગ્ન કરાવી દીધાં. લગ્ન પછી લવ શાંતિ-રવિનો સંબંધ વધારે ગાઢ થઈ ગયો અને બંનેના સાચા પ્રેમ સામે લોકોએ પણ ઝૂકી ગયાં હતાં. માત્ર રવિ અને શાંતિના જ ઘરવાળા નહીં પણ, સુરજીતના પરિવારના લોકો પણ સાક્ષીના પક્ષમાં જઈ વાત સાંભળી હતી. શાંતિ સાથે વાતચીત કર્યાં પછી તેમના દિલની ઇચ્છા પૂછી અને રવિ સાથે તેના લગ્ન કરાવી દીધાં.

આ લગ્નને સફ બનાવવા માટે સૌથી મોટો રોલ શાંતિના પતિ સુજીતનો હતો. શાંતિ સામે સમાજની બંદી અને પત્ની માટેનો પ્રેમ પણ હતો, પણ સુજીતનું કામલ પ્રશંસનીય હતું. ગોલૂ, શાંતિ અને રવી ત્રણેય પરિવારવાળા આ લગ્નના સાક્ષી બન્યા અને ખુશ હતાં, પણ ક્યાંક ગોલૂના ઘરવાળામાં તે વાત સામે આવી ગઈ અને જેથી તેમનું દુખ દેખાયું. ગોલૂના ઘરવાળાનું કહેવું હતું કે, બાળપણમાં જ ગોલૂની માનું મોત થયું હતું. ઘરમાં કોઈ મહિલા નથી બધા પુરુષ જ છે. ખુદ જમવાનું બનાવવાનું અને ખાવાનું હોય થે. ક્યારેય આવું નહોતું વિચાર્યું કે શાંતિ પ્રેમથી જમવાનું બનાવીને દરેકને જમાડશે પણ, હવે તેની પ્રેમી સાથે વિદાય થઈ ગઈ છે.

સુજીત ઉર્ફે ગોલૂએ પોતાની પત્ની શાંતિના લગ્ન સનિગવાના હનુમાન મંદિરમાં કરાવ્યાં હતાં. આ પહેલાં સનિગવામાં રવિએ પોલીસકર્મી સામે શાંતિને મંગળસૂત્ર પહેરાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page