Saturday, April 13, 2024
Google search engine
HomeGujaratઆંકલાવ પાસે ટ્રેલર-ટેમ્પો વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં 10 લોકોનાં મોત

આંકલાવ પાસે ટ્રેલર-ટેમ્પો વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં 10 લોકોનાં મોત

આણંદના આંકલાવ પાસે ટ્રેલર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોનાં મોત નિપજ્યાં હતાં. અકસ્માત થતાં જ સ્થાનિક લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયા હતાં. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં તમામ મૃતકોના પરિવારને બે લાખ રૂપિયાની સહાય આપવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી રાહત નિધિમાંથી મૃતકોના પરિવારને બે લાખની સહાય કરવામાં આવી હતી.

ટેમ્પો આશરે 15થી વધારે લોકો ભરી આંકલવ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ટેમ્પો અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોનાં મોત નિપજ્યાં હતાં જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતાં.

પાદરા તાલુકાના ઉમરાયા ગામે આવેલ કેડીલા કંપનીથી નોકરી કરી સારોલ પરત આવતા અકસ્માત સર્જાયો હતો. તમામ વ્યક્તિઓ સારોલ ગામના રહેવાસી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page