અમદાવાદ: ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ આજે જાહેર થયું છે. સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું 85.03% આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ પંચમહાલ જિલ્લાનું 45.82% પરિણામ આવ્યું છે.
222 જેટલી શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું છે જ્યારે 10%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 79 છે. સૌથી વધુ પરિણામ અમદાવાદના નવરંગપુરા કેન્દ્રનું 95.66% છે, જ્યારે સૌથી ઓછું પંચમહાલ મોરવા રેણાનું 15.43% આવ્યું છે.
2018માં પરિણામ 55.52%, વ્યવસાયિક પ્રવાહનું 52.29%, ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ 55.55% રહ્યું હતું. 2019માં સૌથી વધુ રેગ્યુલર 39 હજાર વિદ્યાર્થી સુરતથી નોંધાયા છે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશોને બાદ કરતાં સૌથી ઓછા 1511 વિદ્યાર્થી ડાંગ-આહવામાંથી નોંધાયા છે.