Saturday, April 13, 2024
Google search engine
HomeReligionકિન્નર આપી દે આ વસ્તુ તો ખુલી જશે નસીબના દ્વાર, જીવનમાં ક્યારેય...

કિન્નર આપી દે આ વસ્તુ તો ખુલી જશે નસીબના દ્વાર, જીવનમાં ક્યારેય નહીં આવે કોઈ મુસીબત

અમદાવાદઃ આપણા સમાજમાં આમ તો કિન્નરોની હાલત ઘણી જ દયનીય છે પરંતુ ઘરમાં જ્યારે શુભપ્રસંગ હોય ત્યારે તેમને આમંત્રણ આપવામાં આવે છે. ઘરમાં લગ્ન હોય કે પછી બાળકનો જન્મ થયો હોય ત્યારે કિન્નર આશીર્વાદ આપે તે ઘણું જ મહત્વનું છે. ગુજરાતમાં કિન્નરોને માતાજી કે પછી ભગત કહીને બોલાવવામાં આવે છે. કિન્નરો મા બહુચરાજીની પૂજા કરતા હોય છે.

કિન્નર આપે આ વસ્તુ તો ખુલી જાય ભાગ્યના દ્વારઃ
જો કિન્નર તમને ખુશીથી તેમની પાસે રહેલો સિક્કો આપે તો તમારું નસીબ બદલાઈ શકે છે. કિન્નર જ્યારે તમને આ સિક્કો આપે ત્યારે તે બંગડી પર સિક્કો મૂકે છે અને તાળી પાડે છે. આ સિક્કો તમને ધનવાન બનાવી શકે છે.

કિન્નરને કરવામાં આવેલું દાન અક્ષય પુણ્યઃ
એક એવી પણ માન્યતા છે કે કિન્નરને જે દાન કરવામાં આવે તે અક્ષય પુણ્ય હોય છે. કિન્નરના આશીર્વાદ દરેક મુસીબતમાંથી બચાવે છે. તમે કિન્નર પાસે એક રૂપિયો માગો અને જો તે ખુશીથી એક રૂપિયો આપે તો તમે સૌભાગ્યશાળી બનશો તેમાં કોઈ બેમત નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page