અમદાવાદઃ દેવો કે દેવ મહાદેવ મોક્ષના દેવતા છે. તેમની આરાધના કરવાથી મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ સાથે જ તેમની કૃપાથી સંસારરૂપી ભવસાગર પણ પાર થઈ જાય છે. શરીર પર ભસ્મ તથા માથે ત્રિપુંડ ધારણ કરનાર ભગવાન શિવ સ્વયં મહાકાલ છે.
ભગવાન શિવ તમામ દેવતાઓ કરતાં સૌથી અલગ તથા વિરલ છે. તેમની વેશભૂષા, ગળામાં સાપ, મસ્તક પર ચંદ્રમા, જટામાં ગંગા તથા હાથમાં ત્રિશૂલ તથા ડમરું. ભગવાન શિવ શા માટે શરીર પર ભસ્મ લગાવે છે, તેનું અલગ કારણ અને મહત્વ છે.
સમુદ્રમંથન દરમિયાન જ્યારે હળાહળ ઝેર નીકળ્યું હતું ત્યારે ભગવાન શિવે તે વિષનું પાન કરીને પૂરા સંસારની રક્ષા કરી હતી. તે વિષની ગરમી વધુ માત્રામાં હોવાને કારણે તેને શાંત કરવા માટે ભગવાન શિવ પૂરા શરીર પર ભસ્મ લગાવે છે. ભસ્મ લેપની જેમ તેમના શરીરને શીતળ રાખે છે.
કેવી રીતે બને છે ભગવાન શિવ માટે ભસ્મ?
છાણને સળગાવીને તેને રાખને ચાળી લેવામાં આવે છે. પછી તે રાખને ઠંડી કરીને તેમાં કાચું દૂધ, મધ તથા માખણ મિક્સ કરવામાં આવે છે. જેનાથી તે રાખ શીતળ બને છે.
સ્મશાનની રાખ પણ લગાવે છે શિવ
ભગવાન શિવ સ્વયં કાળના દેવ છે. તેથી જ આપણે તેમને મહાકાલ કહીએ છીએ. તે સ્મશાનવાસી પણ છે. ભગવાન શિવ શબોને સળગાવ્યા બાદ તે રાખ પણ પોતાના શરીર પર ધારણ કરે છે. મૃત્યુ બાદ શરીર પવિત્ર બની જાય છે. તેમાં કામ, ક્રોધ, લોભ તથા મોહ જેવું કંઈ જ રહેતું નથી. શબ સળગ્યાં બાદ રાખ પવિત્ર બની જાય છે. એવી માન્યતા છે કે ભગવાન શિવ તે પવિત્ર રાખને પોતાના શરીર પર લગાવીને આત્માઓથી સ્વયંને જોડે છે.
આથી કાશીમાં મળે છે મોક્ષ
પૌરાણિક માન્યતા પ્રમાણે, ભગવાન શિવને કાશી નગરીમાં પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો અને તેમના અંતિમ સંસ્કાર પણ અહીંયા જ કરવામાં આવ્યા હતાં. આથી જ કાશી નગરીમાં મોક્ષ મળે છે. ભગવાન શિવ તે મૃત વ્યક્તિના જમણા કાનમાં તારક મંત્રનું ઉચ્ચારણ કરે છે, જેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. કાશીમાં ગંગા કિનારે જ્યારે કોઈ શબના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે તો તેના બંને કાનમાં રૂ નાખેલું હોય છે. જોકે, જ્યારે શબને ચિતા પર મૂકવામાં આવે તો તેના જમણાં કાનમાં રૂ હશે નહીં.