નવી-નવી પરણીને આવેલ કાકીને ભત્રીજા સાથે પ્રેમ થઈ ગયો. થોડા જ દિવસોમાં બંને એકલતામાં મળવા લાગ્યાં. કાકાને ખબર પડતાં તેમણે ભત્રીજાને પ્રેમથી સમજાવ્યો, પરંતુ હવે બહુ મોડું થઈ ગયું હતું. ભત્રીજો અને નવપરણિત કાકીને તેમણે બેડ પર પકડ્યાં અને પછી તો બહુ હોબાળો થયો. ત્રણ દિવસ બાદ કાકાની લાશ મળી અને ત્રણ મહિના પહેલાં જ પરણીને આવેલ કાકી વિધવા બની ગઈ. આ આખી ઘટના ફિલ્મી છે, પરંતુ સંપૂર્ણ સત્ય છે. આ આખી ઘટના જયપુરની છે.
આ ઘટના બાદ હત્યાના આરોપમાં ભત્રીજાની ધરપકડ કરવામાં આવી છે. જયપુર ગ્રામીણમાં આવેલ સારૂડ પોલીસ ઘટના બાબતે તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું છે કે, પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક બંધ ખાણમાં 24 સપ્ટેબરે એક શબ મળ્યું હતું.
તેની ઓળખ ભૈંસલાના નિવાસી ઈંદ્રરાજ સિંહ તરીકે થઈ. ઈંદ્રરાજની હત્યા માથામાં વાર કરી કરવામાં આવી હતી અને લાશને અહીં લાવી ઠેકાણે પાડવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, હત્યા બેથી ત્રણ દિવસ પહેલાં કરવામાં આવી હતી. ઈંદ્રરાજનાં લગ્ન માત્ર ત્રણ મહિના પહેલાં જ થયાં હતાં. પોલીસને ઈંદ્રરાજના દૂરના સગા ભત્રીજા નરેન્દ્ર સિંહ અંગે ખબર પડી. તેની ધરપકડ કરવામાં આવી છે.
તપાસ દરમિયાન ઈંદ્રરાજનાં કેટલાંક સંબંધીઓએ પોલીસને જણાવ્યું કે, ઈંદ્રરાજની પત્ની અને નરેન્દ્ર ઘણીવાર સાથે જોવા મળે છે. પોલીસ માટે આટલી લીડ જ પૂરતી હતી. પોલીસે ઈંદ્રરાજની પત્ની સાથે પણ પૂછપરછ કરી અને તેણે બધુ સત્ય કહી દીધું.
નરેન્દ્ર સાથે પણ પૂછપરછ કરવામાં આવી તો તેણે પોતાનો ગુનો કબૂલી દીધો. તેણે પોલીસને જણાવ્યું કે, કાકાએ અમને બંનેને એકસાથે જોઈ લીધાં હતાં. પોલીસે સોમવારે સાંજે નરેન્દ્રની ધરપકડ કરી દીધી હતી. તેને આજે જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.