નવી દિલ્હી: મંગળવારે રાતે દિલ્હની એમ્સમાં ભાજપના નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું નિધન થયું છે. સુષ્મા સ્વરાજ છેલ્લા ત્રણ ઘણાં વર્ષોથી ભાજપનાં મુખ્ય મહિલા ચહેરા તરીકે ઓળખાતા હતાં. સુષ્મા સ્વરાજ પોતાનાં ઝીંદાદિલ અને દરિયાદિલીનાં સ્વભાવ માટે દુનિયાભરમાં જાણીતા હતાં.
મહત્વનું છે કે સુષ્મા સ્વરાજે લવ મેરેજ કર્યાં હતાં. પરંતુ તેમને લગ્ન કરવા માટે ઘણી જ મહેનત કરવી પડી હતી. કારણ કે બન્નેના પરિવાર આ લગ્નથી ના ખુશ હતાં.
સુષ્મા અને સ્વરાજ કૌશલના પરિવારજનો આ લગ્નથી ખુશ ન હતાં. તે જમાનામાં પ્રમે લગ્ન કરવા તો દૂર પતિ કોણ થવાનો છે તેનો ચહેરો પણ જોવા મળતો ન હતો. તે જમાનામાં પણ સુષમા સ્વરાજે મહેનત બતાવીને બંન્ને પરિવારોને મનાવીને લગ્ન કર્યાં હતાં.
સુષ્મા સ્વરાજનાં પતિનું નામ સ્વરાજ કૌશલ છે. બંન્નેનો પ્રેમ કોલેજકાળમાં પાંગર્યો હતો. 13 જુલાઈ 1975નાં રોજ તેમના લગ્ન થયા હતાં.
તેમના પતિ સુપ્રીમ કોર્ટનાં જાણીતા વકીલ છે. તેઓ માત્ર 34 વર્ષની ઉંમરમાં સૌથી યુવાન એડવોકેટ બની ગયા હતાં. ત્યાર બાદ 37 વર્ષે મિઝોરમનાં ગવર્નર પણ બની ગયા હતાં. પરિવારમાં એક પુત્રી છે.