એક ખૂબ જ અજીબોગરીબ બનાવ બન્યો છે. ગામમાં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. બધા લોકો જાનનું સ્વાગત કરવામાં લાગેલા હતા. દુલ્હન પણ સજીધજીને દુલ્હાની રાહ જોઈને બેઠી હતી. બધાના ચહેરા ખુશખુશાલ દેખાતા હતા. બધા લોકો નવા નવા કપડા પહેરીને લગ્નમાં એન્ટ્રી પાડી રહ્યા હતા. પણ જેવી જાન પહોંચી અને વરરાજો જેવો ઉતારે પહોંચ્યો કે બધુ જ બદલાઈ ગયું. વાત એટલી બધી વધી ગઈ કે દુલ્હને લગ્ન કરવાની જ ચોખ્ખી ના પાડી દીધી.
આ વિચિત્ર બનાવ ઉત્તરપ્રદેશના જિલ્લાનો છે. અહીંના ઈટાવા જિલ્લાના ઉદ્દેતપુર ગામમાં વરરાજા જાન લઈને આવ્યા હતા. જાનને ઘરની બાજુમાં એક ગેસ્ટ હાઉસમાં ઉતારો આપવામાં આવ્યો હતો. આ દરમિયાન દુલ્હનની બહેનો વરરાજાને મીઠાઈ ખવડાવવી આવી હતી. દુલ્હાએ મીઠાઈ જે રીતે ચાવવાનું શરૂ કર્યું તો સાળીઓને અજીબ લાગ્યું. બંનેએ આની જાણકારી ભાઈને આપી હતી. થોડીવારમાં જાનમાં હંગામો મચી ગયો હતો.
વાત એમ છે કે વરરાજા નકલી વાળની વિગ લગાવીને પહોંચ્યો હતો. એટલું જ નહીં દાંત પણ નકલી હતી. પહેલા સાળીઓને પછી દુલ્હનને આ વાતની ખબર પડી તો મોટી બબાલ મચી ગઈ હતી. એટલું જ નહીં વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. દુલ્હા પક્ષના લોકોએ દુલ્હનને મનાવવાની ખૂબ કોશિશ કરી હતી, પણ દુલ્હન ટસની મસ નહોતી થઈ. દુલ્હને જણાવ્યું હતું કે ”તે એવા છોકરા સાથે ક્યારેય લગ્ન નહીં કરે જેના માથામાં વાળ ન હોય અને સાથે દાંત પણ નકલી હોય. તે આવા છોકરા સાથે ક્યારેય ફેરા નહીં ફરે.”
લગ્નમાં 10 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
દુલ્હનના ભાઈએ જણાવ્યું હતું કે ”દોઢ મહિના પહેલાં તેની બહેન સંગીતાના લગ્ન નક્કી થયા હતા. યુવકના પરિવારજનોએ જણાવ્યું હતું કે છોકરાનું SIની પોસ્ટ માટે સિલેક્શન થઈ ગયુ છે. ત્યાર બાદ લગ્ન નક્કી કરાયા હતા. પિતાએ યુવકને જોયો હતો, પણ તે સમયે આ વાત પર તેઓ ધ્યાન આપી શક્યા નહોતા. મારી બહેન હજી ભણી રહી છે. અમે લોકોએ લગ્નમાં 10 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ગાડી પણ આપી છે. અમને ખૂબ નુકશાન થયું છે. ”
વરરાજાએ દગો આપ્યો
દુલ્હનના ભાઈએ જણાવ્યું હતું કે 16 ફેબ્રુઆરીના રોજ પિતા મહેશભાઈએ બિધૂના ગામ પહોંચી યુવક સાથે સગુન ચઢાવવાની વિધિ પૂરી કરી હતી. નિર્ધારિત સમય મુજબ વરરાજો જાન લઈને ઉદ્દેતપુરન ગામમાં બનેલા મેરેજ લોનમાં પહોંચી હતી. આ મામલામાં દુલ્હનના પરિવારજનોએ પણ દીકરીનો સાથ આપ્યો હતો. તેમણે યુવક પક્ષ પર દગો આપવાનો આરોપ મૂક્યો હતો. યુવતીના પિતાએ જણાવ્યું હતું કે માથા પર વાળ નહોતા તો પહેલાં જ કહી દેવાની જરૂર હતી.
જબરસ્તી કરી હોત તો આત્મહત્યા કરી લેત
આ અંગે દુલ્હન સંગીતાએ જણાવ્યું હતું કે ”મેં લગ્ન કરવાની એટલા માટે ના પાડી દીધી, કેમ કે છોકરાના દાંત અને વા નકલી છે. મેં પરિવારજનોને પણ કહી દીધું હતું કે જો તેમણે જબરદસ્તી કરી તો હું આત્મહત્યા કરી લઈશ. છોકરાના પરિવારનોએ આ વાત છૂપાવીને રાખી છે. પછીથી ખબર પડતે તો વધુ સમસ્યા ઉભી થાત..” આ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. હજી સુધી કોઈ પક્ષ સામે કેસ નોંધવામાં આવ્યો નથી.”