Saturday, April 13, 2024
Google search engine
HomeNationalપહેલાં હાથ-પગ કાપ્યા ને પછી શરીરના ટૂકડે ટૂકડા કરીને સ્કૂલમાં ફેંકી દીધા

પહેલાં હાથ-પગ કાપ્યા ને પછી શરીરના ટૂકડે ટૂકડા કરીને સ્કૂલમાં ફેંકી દીધા

મુજફ્ફરપુરમાં 27 વર્ષના સુજીતની હત્યા લવ ટ્રાએન્ગલમાં થઈ હતી. પોલીસે હત્યાના આરોપમાં તેના જ ભાઈ અને ગર્લફ્રેન્ડની ધરપકડ કરી છે. બંનેએ પોતાનો ગુનો કબૂલ કરી દીધો છે. બંનેએ સુજીતને મળવા માટે બોલાવ્યો અને પછી હત્યા કરી. ચપ્પાથી તેના હાથ-પગ અને પ્રાઈવેટ પાર્ટ કાપ્યા. ત્યારબાદ પેટ ચીરીને આંતરડાં પણ બહાર કાઢી નાખ્યાં. આરોપીઓ સુજીતની ઓળખ સંતાડવા ઈચ્છતા હતા, એટલે શબના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા.

સુજીત સકરાના મારકનનો રહેવાસી હતો. તેની હત્યા પ્રેમ પ્રસંગમાં થઈ હતી. તે તેના ભાઈ સંજય રામ અને તેની ગર્લફ્રેન્ડ નરગિસ ખાતૂનની વચ્ચે આવી રહ્યો હતો. આરોપી છોકરીએ જણાવ્યું કે, તે તેની સાથે જબરદસ્તી વાત કરવાનો પ્રયત્ન કરતો હતો, જે તેને ગમતું નહોંતુ.

બંને આરોપીની ધરપકડ
બંનેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં. સાથે-સાથે સુજીત કુમારનો મોબાઈલ અને હત્યા માટે ઉપયોગમાં લેવાયેલ ચપ્પાને પૂરાવા રૂપે કોર્ટમાં પેશ કરવામાં આવ્યાં, જ્યાં કોર્ટે સુનવણી બાદ બંનેને હિરાસતમાં મોકલી દીધાં છે.

11 સપ્ટેમ્બરથી લાપતા હતો સુજીત
સકરા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સરોજ કુમારે જણાવ્યું કે, ગત 11 સપ્ટેમ્બરથી મારકન નિવાસી જગેશ્વર રામનો 27 વર્ષનો દીકરો સુજીત કુમાર ગાયબ થયો હતો. જેનો આરોપ ગોપીનાથપુરના મોહમ્મદ અરમાન પર નાખવામાં આવ્યો હતો. તપાસ કરતાં આ આખો કેસ પ્રેમ પ્રસંગનો જાણાવા મળ્યો. જેમાં સુજીત કુમારના ભાઈ સંજય રામ અને તેની પ્રેમિકા નરગિસ ખાતૂન જ હત્યારાં નીકળ્યાં. બંનેને છાપેમારી કરી પકડી લેવામાં આવ્યાં છે.

પૂછપરછ દરમિયાન પ્રેમી-પ્રેમિકાએ ખોલ્યું હત્યાનું રહસ્ય
પોલીસે જણાવ્યું કે, ધરપકડ બાદ બંનેની પૂછપરછ કરવામાં આવી. બંનેએ પોલીસને જણાવ્યું કે, સુજીત તે બંનેની વચ્ચે આવી રહ્યો હતો. તે નરગિસ સાથે જબરદસ્તી કરવા ઈચ્છતો હતો. એટલે બંનેએ મળીને 11 સપ્ટેમ્બરની રાત્રે સુજીત કુમારની હત્યા એસડીએમ એકેડમી ગોપીનાથપુરમના કેમ્પસમાં કરી. હત્યા માટે ટેબલનાં લાકડાં, કટ્ટો અને ચપ્પાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ શબના ટુકડા કરી ફેંકી દીધા. પોલીસની ગિરફ્તમાં રહેલ સંજય કુમારના જણાવ્યા અનુસાર શબને પણ મેળવી લેવામાં આવ્યું છે. સાથે-સાથે સુજીતનો મોબાઈલ અને નરગિસના જણાવ્યા અનુસાર ઘટનામાં ઉપયોગમાં લેવાયેલ ચપ્પાને લઈ મેળવી લેવામાં આવ્યાં છે.

પ્રાઈવેટ સ્કૂલમાં મળ્યું હતું સુજીતનું શબ
ઉલ્લેખનિય છે કે, સકરા પોલીસ સ્ટેશનના મારકન ગામના સુજીત કુમાર નામના યુવાનની હત્યા કરી શબના ટુકડા-ટુકડા કરી ગોપિનાથપુર ગામમાં બંધ પ્રાઈવેટ સ્કૂલમાં ફેંકી દેવામાં આવ્યા હતા. શુક્રવારે દુર્ગંધ આવવાના કારણે જાગેશ્ચર રામના પુત્ર સુજીત કુમારની સડી ગયેલ લાશ મળી. ઘટના બાદ અહીંનું વાતાવરણ બહુ તણાવભર્યું થઈ ગયું હતું. ઘટનાની માહિતી મળતાં જ જિલ્લાનાં 10 પોલીસ સ્ટેશન અને ઓપીની પોલીસ ઘટનાસ્થળે પહોંચી. બીજી તરફ સકરા પોલીસ સ્ટેશનની પોલીસે એક આરોપીની શુક્રવારે રાત્રે જ ધરપકડ કરી દીધી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page