મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના ઓખલેશ્વર ધામમાં એક ચમત્કાર જોવા મળ્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં હનુમાનજીની પ્રતિમા આંખ ઝબકાવતી જોવા મળે છે, જોકે અમે આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતા નથી.
મળેલી માહિતી અનુસાર, મંદિરમાં દર મહિને રોહિણી નક્ષત્રમાં 27 મા દિવસે હનુમાનજીને ખાસ શ્રૃંગાર કરવામાં આવે તો. તો લોકોનો દાવો છે કે, આ વખતે શ્રૄંગાર દરમિયાન હનુમાનજીની પ્રતિમાએ આંખની પાંપણો ઝબકાવી હતી. વાયરલ વીડડિયોમાં હનુમાનજી તેમની પાંપણ ઝબકાવતા જોવા પણ મળે છે.
પુજારીએ કહ્યું ચમત્કાર
મંદિર ખૂબજ જૂનું છે, આ પહેલાં પણ મંદિર સાથે સંકળાયેલ ઘણા સમાચાર આવ્યા છે, પરંતુ આ વખતે વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, હનુમાનજી પાંપણો ઝબકાવી રહ્યા છે, જેને જોઈને લોકો ખૂબજ આશ્ચર્યચકિત છે.
કહેવાય છે કે, આ વાયરલ વીડિયો એક ભક્તે બનાવ્યો છે, જે શ્રૄંગાર સમયનો છે, જેમાં હનુમાનજી તેમની પાંપણ બંધ કરતા અને ખોલતા જોવા મળે છે. મંદિરમાં આવતા ભક્તો અને પુજારીએ આ ઘટનાને ચમત્કાર કહી છે.
આ મંદિર અંગે એવી માન્યતા છે કે, અહીં આવતા ભક્તોની બધી જ મનોકામનાઓ ભગવાન પૂર્ણ કરે છે. વર્ષમાં 13 વાર હનુમાનજીને ખાસ શ્રૄંગાર કરવામાં આવે છે.