Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Bottomવર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના કયા-કયા ખેલાડીઓ ઈંગ્લેન્ડ જવા રવાના થયા

વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના કયા-કયા ખેલાડીઓ ઈંગ્લેન્ડ જવા રવાના થયા

મુંબઈ: આઈસીસી વર્લ્ડ કપ 2019 માટે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ જવા મુંબઈ એરપોર્ટથી રવાના થઈ ગઈ છે. 30મી મેથી યોજાનાર આ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમને ખૂબ જ મજબૂત દાવેદાર મનાય છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું કહેવું છે કે, રાઉન્ડ રોબિન પ્રારૂપમાં દમદાર હરિફોની વિરૂદ્ધ રમવાથી આગામી વર્લ્ડ કપ ખૂબ જ પડકારજનક બન્યો છે. બીસીસીઆઈએ ટીમના રવાના થતાં પહેલાં કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમાં ખેલાડી મુંબઈ એરપોર્ટ પર પોતાની ફ્લાઈટ માટે રાહ જોઈ રહ્યા હતા.

કેપ્ટન વિરાટે સાથો સાથ આશા વ્યક્ત કરી છે કે, ટીમ ઈન્ડિયા ત્રીજી વખત વર્લ્ડ કપ જીતી શકે છે. ભારતે અત્યાર સુધીમાં બે વખત (1983માં કપિલ દેવની કેપ્ટનશીપમાં અને 2011મા ધોનીની કેપ્ટનશીપમાં) વર્લ્ડ કપ જીત્યો છે.

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, મો.શમી, રવિન્દ્ર જાડેજા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page