મુંબઇઃ બોલિવૂડ એક્ટર અનિલ કપૂર અને જેકી શ્રોફની દોસ્તીની મિસાલ આપવામાં આવે છે. અનિલ અને જેકીએ એક સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં ‘રામ-લખન’, ‘ત્રિમૂર્તિ’, ‘યુદ્ધ’, ‘અંદાજ અપના’, ‘રૂપ કી રાની ચોરો કા રાજા’ અને ‘કભી ના કભી’ જેવી ફિલ્મો સામેલ છે. આ બંન્નેએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક વર્ષો થઇ ચૂક્યા છે. છેલ્લા દિવસોમાં ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપરાએ અનિલ કપૂર અને જેકી શ્રોફ સાથે જોડાયેલો 30 વર્ષ જૂનો કિસ્સો વર્ણવ્યો હતો., અનિલ કપૂરના બર્થ-ડે પર અમે તે કિસ્સો વર્ણવી રહ્યા છીએ.
વિધુ વિનોદ ચોપરાએ આ રાજનો ખુલાસો સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને કર્યો હતો. આ વીડિયોમાં વિધુ સિવાય, અનુરાગ કશ્યપ, અનિલ અને જેકી શ્રોફ દેખાઇ રહ્યા છે. વીડિયોમાં અનિલ કપૂર અને જેકી પોતાની ફિલ્મ પરિંગા અંગે વાતો કરી રહ્યા છે. વીડિયો શેર કરતા ચોપરાએ લખ્યું કે, અનિલ કપૂર હંમેશા પોતાના કામ પ્રત્યે નિષ્ઠાવાન કર્યો છે. જ્યારે વાત સારા શોટની હોય છે ત્યારે એક પરફેક્ટ શોટ માટે અનિલ કપૂરે 17 રિટેક લીધા હતા.
આ વીડિયોમાં પરિંદા ફિલ્મનો એક સીન બતાવવામાં આવ્યો છે. આ સીનમાં અનિલ કપૂર અને જેકી વચ્ચે ચર્ચા થઇ રહી છે. આ દરમિયાન જેકી અનિલને ગુસ્સામાં થપ્પડ મારી દે છે. આ સીન અંગે જેરી વીડિયોમાં બતાવી રહ્યો છે. જેકી કહે છે કે અનિલ એ દર્દને સીનમાં બતાવવામાં માંગતો હતો કે તેના મોટા ભાઇએ તેને થપ્પડ માર્યો.
જેકીએ કહ્યું કે, પ્રથમ શોટ જ ઠીક થઇ ગયો હતો અને ચહેરા પર ભાવ પણ એકદમ યોગ્ય મળી ગયો હતો. અનિલે કહ્યું નહી હજુ એક વાર, આ રીતે 17 થપ્પડ એક સીન માટે મેં માર્યા હતા.ખાસ વાત એ છે કે તેને વાસ્તવમાં થપ્પડ મારવી પડતી હતી કારણ કે તેનું રિએક્શન હવામાં આવતું નથી.
નોંધનીય છે કે પરિંદા ફિલ્મ ત્રણ નવેમ્બર 1989ના રોજ રીલિઝ થઇ હતી. આ ફિલ્મના નિર્માતા અનેનિર્દેશક વિધુ વિનોદ ચોપરા હતા. પરિંદામાં જેકી અને અનિલ સિવાય. નાના પાટેકર, માધુરી દીક્ષિત અને અનુપમ ખેર હતા. આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર સારુ કલેક્શન કર્યું હતું.