મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં દયાબેન એટલે દિશા વાકાણીની રોયલ એન્ટ્રી થશે. શોના મેકર્સે ‘દયાબેન’ની એન્ટ્રી માટે તૈયારી કરી લીધી છે. દયાબેન તરીકે બીજી કોઈ અભિનેત્રી નહીં પરંતુ દિશા વાકાણી જ સીરિયલમાં આવી રહી છે તેવું મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે.
દિશા વાકાણી નવરાત્રીમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં પરત ફરશે. દિશા અને સીરિયલના પ્રોડ્યુસર આસિત મોદી વચ્ચેના જે પણ મતભેદો હતાં તેને લઈને હવે સમાધાન થઈ ગયું છે. દિશા શોના મેકર્સની શરતો પ્રમાણે કામ કરવા માટે માની ગઈ છે. દિશાએ શોનો કોન્ટ્રાક્ટ પણ સાઈન કરી લીધો છે. એટલે કે, ઓક્ટોબર મહિનામાં ફરીથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘હે! મા માતાજી’ સાંભળવા મળી શકે છે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે.
દિશા વાકાણી લગભગ દોઢ વર્ષ પહેલા મેટરનીટી લીવ પર ગઈ હતી ત્યારથી સીરિયલમાં તેમની ગેરહાજરી જોવા મળે છે. આ દરમિયાન દિશા શોમાં વાપસી કરશે કે નહીં તે વિશે અલગ-અલગ અટકળો ચાલતી હતી. આ સાથે જ દિશાના બદલે કોઈ બીજી અભિનેત્રી દયાબેનનું પાત્ર ભજવશે તેવા અહેવાલો પણ સામે આવ્યા હતા.
ananin amina ayagimi sokucam az kaldi