તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં મહિલા વેટનરી ડોક્ટરની સાથે થયેલા ગેંગરેપ અને હત્યા કેસમાં ચારેય આરોપીઓનું હૈદરાબાદ પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું. આ એન્કાઉન્ટર સાથે જોડાયેલી મોટી માહિતી સામે આવી છે. હાલ સાઈબરાબાદ પોલીસની કમાન એવી વ્યક્તિના હાથમાં છે જે વ્યક્તિને એન્કાઉન્ટરના સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે. સાઈબરાબાદ પોલીસના કમિશનર વી.જે.સજ્જનાર છે. આ પોલીસ કમિશનર સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે હાલ તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
હૈદરાબાદમાં થોડા દિવસ પહેલા મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ બાદ તેને પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દેવામાં આવી હતી ત્યારે સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળ્યો હતો. તે ચારેય આરોપીઓને હૈદરાબાદ પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે.
આ એન્કાઉન્ટર સાથે જોડાયેલી મોટી માહિતી સામે આવી છે. રિકંસ્ટ્રક્શન સમયે ચારેય આરોપીઓએ પોલીસના હથિયાર છિનવીને ફાયરિંગ કર્યું હતું. તપાસ કરી રહેલા ડીસીપીએ મોટો ખુલાસો કર્યો છે કે, હથિયાર છિનવીને ફાયરિંગ કર્યું હોવાના કારણે પોલીસે આ એન્કાઉન્ટરને અંજામ આપ્યો હતો.
સાઈબરાબાદ પોલીસ કમિશ્નર વીસી સજ્જનરે કહ્યું હતું કે, આજે સવારે 3થી 6ની વચ્ચે ચંદનપલ્લી, શાદનગરમાં ચારેય આરોપીઓ મોહમ્મદ આરિફ, નવીન, શિવા અને ચેન્નેકશવુલુ એન્કાઉન્ટરમાં માર્યા હતાં. આ ઘટના અંગે સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે.
હૈદરાબાદ ગેંગરેપમાં ચારેય આરોપીઓનું તેલંગાણા પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસ આ ચારેય આરોપીઓને રિકંસ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે લઈ જઈ રહી હતી જ્યાંથી આ ચારેય આરોપીઓએ ભાગવાની કોષિશ કરી હતી. તે દરમિયાન ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર કર્યું હતું.