Tuesday, April 16, 2024
Google search engine
HomeGujaratકોણ છે શિવાંશની માતા મહેંદી ઉર્ફે હીના પેથાણી? કેવી રીતે આવી હતી...

કોણ છે શિવાંશની માતા મહેંદી ઉર્ફે હીના પેથાણી? કેવી રીતે આવી હતી સચિનના સંપર્કમાં?

એક ધ્રુજાવી દેતા કેસથી આખું ગુજરાત હચમચી ઉઠ્યું છે. ગઈ કાલે ગાંધીનગરમાં તરછોડાયેલા બાળકના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. બાળકનું નામ શિવાંશ છે અને તેના પિતાનું નામ સચિન છે. વડોદરાની કંપનીમાં મેનજર તરીકે નોકરી કરતાં પરિણીત સચિન અને પ્રેમિકા હીના પેથાણીનું આ બાળક છે. સચિને પરણિતી હોવા છતાં કુંવારી હીના પેથાણી સાથે સંબંધો બાંધ્યા હતા. એટલું જ નહીં સંબંધ બંધાયાના થોડા જ સમયમાં બંને વચ્ચે ઝગડો થતાં સચિનને વડોદરાના ફ્લેટમાં હીનાની ઘાતકી હત્યા કરી નાખી હતી. પછી લાશને સૂટકેસમાં પેક કરી રસોડમાં મૂકીને શિવાંશને લઈને ભાગી ગયો હતો. બાદમાં ગાંધીનગર આવી શિવાંશને પેથાપુર ગૌશાળા પાસે છોડીને રાજસ્થાન ભાગી ગયો હતો.

પોલીસના મતે શિવાંશી માતા મહેંદી ઉર્ફે હીના પેથાણી મૂળ જૂનાગઢ જિલ્લાના કેશોદની વતની છે. હીના પેથાણીની માતા હયાત નથી, જ્યારે પિતાએ બીજા લગ્ન કર્યા છે. વર્ષ 2016માં હિના પેથાણી અમદાવાદમાં શો રૂમમાં નોકરી કરતી હતી ત્યાંરે સચિન સાથે મુલાકાત થઈ હતી.

પ્રેમમાં પડ્યા બાદ હિના અને સચિન અમદાવાદમાં સાથે રહેવા લાગ્યા હતા. 6 મહિના સાથે રહ્યા બાદ બંને છુટા પડી ગયા હતા. જો કે, હિનાએ ફરી સચિનનો સંપર્ક કર્યો હતો અને ફરી બંનેએ સાથે રહેવાની શરૂઆત કરી હતી. વર્ષ 2020માં હિનાએ બાળકને જન્મ આપ્યો હતો જેનું નામ શિવાંશ રાખવામા આવ્યું હતું. છેલ્લા બે મહિનાથી લગભગ જૂનથી વડોદરાની એક કંપનીમાં સચિનને નોકરી મળતા હિના, શિવાંશ અને સચિન વડોદરામાં રહેવા ગયા હતા.

પોલીસ તપાસમાં જાહેર થયેલી વિગત મુજબ સચિન દીક્ષિત અઠવાડિયા દરમિયાન સોમથી શુક્ર સુધી વડોદરામાં મહેંદી સાથે રહેતો હતો. વીકેન્ડમાં તે ગાંધીનગર સ્થિત પોતાના માતા-પિતા અને પત્ની અનુરાધા સાથે રહેવા આવતો હતો.

મહેંદી અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા માસી અનિતાબેન અને તેમના પતિ હિતેનદ્રભાઈના ઘરે રહેતી હતી. મહેંદી અઢી વર્ષથી બોપલમાં રહેતા તેના માસી અને માસા સાથે રહેતી હતી. બંનેની નજર સામે જ શિવાંશ મોટો થયો હતો. આ અંગે હીના ઉર્ફે મહેંદીના માસી અનિતાબેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મહેંદી ધોરણ 10 સુધી ભણી છે. મહેંદી સચિન સાથે ક્યારથી સંપર્કમાં હતી તે અમને ખબર નથી. મહેંદી અઢી વર્ષથી અમારી સાથે રહે છે. તેની માતા નથી, તેથી તે પ્રેગનેન્સી દરમિયાન અમારી સાથે રહી હતી. તેના લગ્ન વિશે અમારી સાથે કોઈ ચર્ચા થઈ ન હતી. તે બંને ખુશ હતા, અમે તેમની પર્સનલ લાઈફમાં ક્યારેય દખલઅંદાજી કરી નથી.

યુપી જવા મામલે બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી, સચિન યુપી પોતાના વતને જવા માંગતો હતો, પરંતુ હીનાએ ઘસીને ના પાડી દીધી, આ કારણે સચિન ગુસ્સે ભરાયો અને તેની ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી, અને બાદમાં તેને લાશને એક બેગમાં ભરીને રસોડામાં મુકી દીધી હતી.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page