Tuesday, April 16, 2024
Google search engine
HomeReligionશનિવારે લવિંગના આ ઉપાયોથી પરત ફરશે ઘરની ખુશીઓ, એક વાર અચૂકથી ટ્રાય...

શનિવારે લવિંગના આ ઉપાયોથી પરત ફરશે ઘરની ખુશીઓ, એક વાર અચૂકથી ટ્રાય કરો

અમદાવાદઃ લવિંગનો ઉપયોગ આપણે ઘરની પૂજા પાઠની સાથે સાથે અન્ય કામમાં પણ કરીએ છીએ. લવિંગ ઘરની નકારાત્મકઉર્જાને દૂર કરીને અનેક ફાયદા કરાવે છે. લવિંગના ઉપયોગ અંગે આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે. તો આજે અમે તમને લવિંગના ચમત્કારિક ઉપયોગ અંગે જણાવીશું.

– શનિવારની સાંજે ઘરના મુખ્ય દરવાજા આગળ લવિંગની સાથે કપૂર મેળવીને સળગાવો. ઘરમાં નકારાત્મક ઉર્જા ક્યારેય નહીં આવે. આની રાખને આખા ઘરમાં છાટો. જેનાથી ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હશે, તે જતી રહેશે.

– જે લોકોનો રાહુ તથા કેતુ યોગ્ય નથી, તેવા લોકોએ શનિવારે લવિંગનું દાન કરવું જોઈએ. દાન શક્ય ના હોય તો શિવલિંગ પર લવિંગ ચઢાવવું જોઈએ. થોડાં દિવસ સુધી સતત આમ કરવાથી રાહુ તથા કેતુની ખરાબ અસર દૂર થાય છે.

– જો તમારી પાસેથી કોઈએ ઉધાર લીધા હોય અને પરત ના કરતાં હોય તો તમારે પૂનમ અથવા અમાસે 11 કે 21 લવિંગે કપૂર સાથે સળગાવવા તથા માતા લક્ષ્મીનું ધ્યાન ધરીને પોતાના મનની વાત કહેવી. આ ઉપાયથી તમારી સમસ્યાનો ઉકેલ આવશે.

– ઈન્ટરવ્યૂના સમયે મોંમાં બે લવિંગ રાખીને જવું. જ્યારે ઈન્ટરવ્યૂ સ્થળ પર પહોંચી જાવ ત્યારે લવિંગ કાઢીને ફેંકી દેવા. મનમાં ભગવાનનું નામ લઈને ઈન્ટરવ્યૂ આપવો. નોકરી મળવાની શક્યતા વધી જાય છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page