પટનાઃ શહીદ કમાન્ડો જ્યોતિ પ્રકાર નિરાલાની બહેનના લગ્નમાં સાથી ગરુડ કમાન્ડો સામેલ થયા હતાં. બિહારના બદિલાડીલમાં થોડાં સમય પહેલાં શહીદ કમાન્ડોની બહેન શશિકલાના લગ્ન હતાં. આ લગ્નમાં વાયુસેનામાંથી 100 ગરુડ કમાન્ડો હાજર રહ્યાં હતાં. જ્યોતિને 26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અશોક ચક્રથી સન્માનિત કર્યો હતો. તેઓ કાશ્મીરના બાંદીપુરામાં આતંકીઓ સામે લડતાં લડતાં શહીદ થયા હતાં.
ગામની પરંપરાનું પાલન કર્યું
ગામની પરંપરા પ્રમાણે, ભાઈ હથેળી જમીન પર રાખે છે ને બહેન, ભાઈની હથેળી પર ચાલીને વિદાય લે છે. શશિકલાનો ભાઈ શહીદ થઈ ગયો હતો અને આ પરંપરા કોણ કરશે તેને લઈ પરિવાર મૂંઝવણમાં હતો. જોકે, વાયુસેનાના 100 ગરુડ કમાન્ડો લગ્નમાં સામેલ થયા હતાં અને શશિકલાની વિદાય સમયે હથેળી જમીન પર મૂકીને લાડકવાઈને વિદાય આપી હતી. પિતા તેજનારાયણ સિંહે કહ્યું હતું કે આ ક્ષણ તેમના જીવનની યાદગાર ક્ષણ બની. ટીમે લગ્નમાં એક મિનિટ માટે પુત્રની કમી આવવા દીધી નહોતી. શશિકલાના લગ્ન પાલી રોડના સુજીત કુમાર સાથે થયા છે.
શહીદ જવાને સાથીઓને બચાવ્યા હતાં
જ્યોતિ પ્રકાશ નિરાલાએ બાંદીપુરામાં આતંકીઓ સાથેની અથડામણમાં બે આતંકીઓને માર્યા હતાં. જેમાં લશ્કર કમાન્ડર લખવીનો ભત્રીજો ઓસામા તથા મહેમૂદભાઈ સામેલ હતાં. તેણે પોતાના સાથીઓને પણ બચાવ્યા હતાં.
? Wow, this blog is like a rocket soaring into the galaxy of wonder! ? The thrilling content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! ? Embark into this thrilling experience of imagination and let your thoughts roam! ? Don’t just read, immerse yourself in the thrill! ? Your mind will thank you for this exciting journey through the dimensions of endless wonder! ?