મુંબઇ : સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદાએ એક રેસ્ટોરામાં જઈ ખાવાનું પીરસ્યું હતું. તેમની આગામી ફિલ્મ ‘આર્ચીઝ’ માટે તેમણે આ પ્રમોશનનું ગતકડું કર્યું હતું પરંતુ આવું કરવા જતાં તેઓ ટ્રોલ થયાં હતાં.
સોશયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં સ્વતંત્રતા દિને સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્સ્ય નંદા એક રેસ્ટોરાં માં ખાવાનું પીરસી રહેલા જોવા મળ્યાં હતાં.
શરુઆતમાં એવી વાત ચલાવાઈ હતી કે તેઓ આઝાદી દિનની ઉજવણી રુપે આવું કરી રહ્યા છે. પરંતુ, બાદમાં સ્પષ્ટ થયું હતું કે તેમની ફિલ્મ ‘આર્ચીઝ’નું આ પ્રમોશન હતું.
સોશિયલ મીડિયા પર લોકોએ આ ચેષ્ટાની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ સ્ટાર કિડ્સને લોકોને જમાડવાનો એટલો જ શોખ હોય તો ગરીબોને ભોજન કરાવવું જોઈએ. રેસ્ટોરાંમાં પોતાના ખર્ચે જમવા આવતા લોકોને ભોજન પીરસવા પાછળ કોઈ તર્ક નથી.