Monday, April 15, 2024
Google search engine
HomeNationalસ્મૃતિ ઈરાનીએ ટ્વિટ કરીને કહ્યું કે, દીદી, મને એક ફરિયાદ છે…

સ્મૃતિ ઈરાનીએ ટ્વિટ કરીને કહ્યું કે, દીદી, મને એક ફરિયાદ છે…

નવી દિલ્હી: પૂર્વ વિદેશ મંત્રી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારે 67 વર્ષની ઉંમરે નિધન થયું છે. હ્રદય રોગનાં હુમલાનાં કારણે સુષ્મા સ્વરાજનું નિધન થયું છે. તેમને મંગળવારે રાતે લગભગ 10 વાગે દિલ્હી AIIMSમાં દાખલ કરાયા હતાં. સુષ્મા સ્વરાજના નિધન સાથે રાજનીતિમાં સૌમ્યતા અને આક્રામકતાના સંયોગનું દુ:ખદ અંત પણ થયું છે.

સુષ્મા સ્વરાજના નિધન બાદ કેન્દ્રીય મંત્રી અને સુષ્મા સ્વરાજની સહયોગી રહેલી સ્મૃતિ ઈરાનીએ ભાવુક ટ્વીટ કર્યું હતું. સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, ‘દીદી, મને તમારાથી એક ફરિયાદ છે. તમે બાંસુરીમાં કહ્યું હતું કે, એક રેસ્ટોરન્ટ પસંદ કરો અને તમે અમને લંચ પર લઈ જવાના હતા. પરંતુ તમે તમારો વાયદો પૂર્ણ કર્યા વગર જ અમને છોડીને જતાં રહ્યા.


સુષ્મા સ્વરાજના નિધનના સમાચાર મળતાં જ બીજેપીના કેટલાંક વરિષ્ઠ નેતામાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પિયૂષ ગોયલ, પ્રહલાદ સિંહ પટેલ અને હર્ષવર્ધન સહિતના નેતાઓ AIIMS પહોંચી ગયા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page