નવી દિલ્હી: પૂર્વ વિદેશ મંત્રી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારે 67 વર્ષની ઉંમરે નિધન થયું છે. હ્રદય રોગનાં હુમલાનાં કારણે સુષ્મા સ્વરાજનું નિધન થયું છે. તેમને મંગળવારે રાતે લગભગ 10 વાગે દિલ્હી AIIMSમાં દાખલ કરાયા હતાં. સુષ્મા સ્વરાજના નિધન સાથે રાજનીતિમાં સૌમ્યતા અને આક્રામકતાના સંયોગનું દુ:ખદ અંત પણ થયું છે.
સુષ્મા સ્વરાજના નિધન બાદ કેન્દ્રીય મંત્રી અને સુષ્મા સ્વરાજની સહયોગી રહેલી સ્મૃતિ ઈરાનીએ ભાવુક ટ્વીટ કર્યું હતું. સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, ‘દીદી, મને તમારાથી એક ફરિયાદ છે. તમે બાંસુરીમાં કહ્યું હતું કે, એક રેસ્ટોરન્ટ પસંદ કરો અને તમે અમને લંચ પર લઈ જવાના હતા. પરંતુ તમે તમારો વાયદો પૂર્ણ કર્યા વગર જ અમને છોડીને જતાં રહ્યા.
I have an axe to grind with you Didi . You made Bansuri pick a restaurant to take me for a celebratory lunch. You left without fulfilling your promise to the two of us.
— Smriti Z Irani (@smritiirani) August 6, 2019
સુષ્મા સ્વરાજના નિધનના સમાચાર મળતાં જ બીજેપીના કેટલાંક વરિષ્ઠ નેતામાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પિયૂષ ગોયલ, પ્રહલાદ સિંહ પટેલ અને હર્ષવર્ધન સહિતના નેતાઓ AIIMS પહોંચી ગયા હતાં.