Thursday, April 18, 2024
Google search engine
HomeGujaratડાયરામાં ગીતા રબારી પર ચાહકોએ કર્યો રૂપિયાનો વરસાદ, જુઓ તસવીરો

ડાયરામાં ગીતા રબારી પર ચાહકોએ કર્યો રૂપિયાનો વરસાદ, જુઓ તસવીરો

કચ્છના કોયલથી પ્રખ્યાત ગીતા રબારીનો દક્ષિણ ગુજરાતમાં ડાયરો યોજાયો હતો. આ ડાયરામાં સંગીતની દુનિયામાં લીન થયેલા લોકોએ નોટોનો વરસાદ કર્યો હતો. વલસાડ જિલ્લાના વાપી નજીક આવેલ સલવાવ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં ગુજરાતના જાણીતા ગાયક કલાકાર ગીતા રબારી અને તેજદાન ગઢવીએ લોકગીતો-ભજનની રમઝટ બોલાવી હતી. તો હાસ્ય કલાકાર સુખદેવ ધામેલીયાએ લોકોને પેટ પકડીને હસાવ્યા હતાં. કોરોના કાળ દરમ્યાન ગરીબ લોકોને મફતમાં ભોજન મળી રહે તે માટેમાં જનમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી ફૂડ કેન્ટીનની શરૂઆત કરવામાં આવી છે.

આ સેવાનું કાર્ય અવિરત ચાલતું રહે, શહીદોના પરિવારને મદદરૂપ થતા રહે તે માટે દાતાઓ તરફથી દાન પેટે રકમ મળે તેવા ઉદેશથીમાં જનમ ચેરીટેબલ ટ્રસ્ટ અને સેલ્યુટ તિરંગાના સંયુક્ત ઉપક્રમે વાપી નજીક આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લોકડાયરામાં ગુજરાતના જાણીતા કલાકાર ગીતા રબારી અને તેજદાન ગઢવીએ લોકગીતો-ભજનની રમઝટ બોલાવી હતી. હાસ્ય કલાકાર સુખદેવ ધામેલીયાએ અદાણી પર, અમેરિકા-ભારતના સમયપાલન શિસ્ત પર કટાક્ષ કરતા તો, નરેન્દ્ર મોદી પર, બુલેટ ટ્રેન, ભગવદ ગીતા પરનો મર્મ સમજાવતા જોક્સ કરી શ્રોતાઓને પેટ પકડીને હસાવ્યા હતાં. કાર્યક્રમમાં ઉપસ્થિત સંતો મહંતોની હાજરીમાં દાતાઓ, સમાજના શ્રેષ્ઠીઓએ બન્ને કલાકારો પર રૂપિયાનો વરસાદ કરી ખુલ્લા દિલે દાન આપ્યું હતું.

લોકડાયરાના કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગુરુકુળના મેનેજીંગ ટ્રસ્ટી કપિલ સ્વામીનીમાં જનમ ચેરીટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકેને જાહેરાત કરવામાં આવી હતી. તો, ટ્રસ્ટને દાન આપનાર તમામ દાતાઓનું સન્માન કરી સાળંગપુર હનુમાનજીની પ્રતિમા ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

લોકડાયરામાં મોટી સંખ્યામાં શ્રોતાઓ ગાયક કલાકાર ગીતા રબારી અને તેજદાન ગઢવીને સાંભળવા આવ્યા હતાં. જેઓને આ કલાકારોએ પોતાના કંઠે અનેક સુરીલા ભજન ગાઈ મોજ કરાવી હતી.

કલાકારોના ગીતો પર દાતાઓ-શ્રોતાઓએ રૂપિયાનો વરસાદ વરસાવી ટ્રસ્ટના Free Food કેમ્પેઇન ને જબરો પ્રતિસાદ આપ્યો હતો. આ પ્રસંગે ગીતાબેન રબારીએ ગુજરાતમાં લોકડાયરાનું વધતું મહત્વ અને સમાજના ગરીબ બાળકોના શિક્ષણ માટે, ભોજન માટે, શહીદોના પરિવારો માટે દાનની રકમ એકઠી કરવા થતા આ પ્રકારના આયોજનોની સરાહના કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page